ભારતના ઉડ્ડયન મંત્રાલયે ‘ઉડાન-4.0’ હેઠળ 78 નવા એર રૂટ્સને મંજૂરી આપી, જાણો કઈ કઈ ફ્લાઇટ્સ થઈ શરૂ

ગઇકાલે નાગરિક ઉડ્ડયન મંત્રાલયે (Aviation Ministry) કોરોના રોગચાળા (Corona Crisis) વચ્ચે 78 નવા હવાઇ માર્ગો (air route) ને મંજૂરી આપવાની જાહેરાત કરી છે. ‘ઉડાન’ (Udan Scheme) યોજનાનો આ ચોથો તબક્કો – ‘ઉડાન-4.0’ (Udan-4.0) (fourth phase) છે. દેશના દૂરના વિસ્તારો સાથે જોડાણ વધારવા માટે નવા રૂટ શરૂ કરવામાં આવી રહ્યા છે.

તેમાં ઉત્તર પૂર્વના રાજયો અને પર્વતનો વિસ્તાર (north east states – hill stations) મુખ્ય રીતે શામેલ છે. ગુવાહાટીથી તેજુ, રૂપસી, તેજપુર, પેસીઘાટ, મીસા અને શિલોંગ જવાના માર્ગ સાથે ઉત્તર પૂર્વમાં કનેક્ટિવિટીને વિશેષ પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. લોકો આ ઉડાન-4.0 રૂટ હેઠળ હિસારથી ચંદીગઢ, દહેરાદૂન અને ધર્મશાળા જવા માટે સમર્થ હશે. વારાણસીથી ચિત્રકૂટ અને શ્રાવસ્તી સુધીના માર્ગોને પણ મંજૂરી આપવામાં આવી છે. લક્ષદ્રીપના અગતી, કવરતી અને મિનિકોય ટાપુઓ પણ UDAN 4.0 ના નવા રૂટો દ્વારા જોડાયેલા છે.

આ માર્ગો માટે ત્રણ સફળ રાઉન્ડની બોલી લગાવાયા બાદ જ આ નિર્ણય લેવામાં આવ્યો છે. નાગરિક અને ઉડ્ડયન મંત્રી હરદીપસિંહ પુરી (Hardeep Singh Puri) એ ટિ્‌વટ કર્યુ છે કે કુલ 18 દુર્લક્ષ એરપોર્ટ્સ (ignored airports) ને દિલ્હી (Delhi), કોલકાતા (Kolkata) અને કોચી (Kochi) જેવા મેટ્રો શહેરો (Metro cities) સાથે જોડવામાં આવશે. અત્યાર સુધી આવા કુલ 766 રૂટ પર એરલાઇનને મંજૂરી આપવામાં આવી છે.

સરકારે મેટ્રો શહેરો સિવાય શહેરોને એર નેટવર્કથી જોડવા માટે ‘ઉડાન’ યોજના શરૂ કરી છે. જે અંતર્ગત આવરી લેવામાં આવતા માર્ગો પર, સરકાર મુસાફરીના અંતર પર આશરે 50 ટકા બેઠકોનું ભાડુ નક્કી કરશે, જેના કારણે એરલાઇન કંપનીઓને સૌથી ઓછું નુકસાન થશે. તે જ સમયે, ફ્લાઇટ સ્કીમના પહેલા ત્રણ રાઉન્ડમાં ફાળવેલ 688 માર્ગોમાંથી 274 રૂટ પર હવાઈ સેવા શરૂ થઈ છે. પહેલા રાઉન્ડ અંતર્ગત 56 રૂટ, બીજા રાઉન્ડમાં 118 અને ત્રીજા રાઉન્ડમાં 100 રૂટ પર એર ફ્લાઇટ્સ શરૂ કરવામાં આવી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.