અરે બાપ રે ; અંદરો અંદરની લડાઈમાં ૧૧૮ માર્યા ગયાં ; સરકારે કર્યુ પછી આ કામ…

ઇક્વાડોર ની જેલમાં ગયાં અને હિંસક અથડામણ થઇ હતી.કેદીઓની અંદરોઅંદરની લડાઈમાં ૧૧૮ કેદીઓના મોત થયા હતા. એ પછી હવે સરકાર આશ્ચર્યજનક રીતે હજારો કેદીઓને મુક્ત કરી દીધા છે .એમાંથી મોટા ભાગના કેદીઓ હિંસામાં સંડોવાયેલા હતા. દેશભરની જેલોમાં સુરક્ષા પણ વધારવામાં આવી છે.

જેલોમાં બંધ થતાં લગભગ ૩૯,૦૦૦ જેટલાં કેદીઓ..

ઇક્વાડોર ને વિવિધ જેલોમાં ૩૯,૦૦૦ કેદી બંધ છે. તેમાં ડ્રગ્સની હેરાફેરી થી લઇ માનવ તસ્કરી સહિતના ગુનાઓ આચરનાર ગુનેગારો નો સમાવેશ થાય છે. એવી જ એક ગ્વાયાકિવલમાં આવેલી જેલમાં કેદીઓનાં જૂથ વચ્ચે ગેંગવોર થઈ હતી.

સરકારે લેવો પડ્યો આશ્ચર્યજનક નિર્ણય..

સરકારે હાલ અન્ય જેલોમાં સુરક્ષા વધારી છે. ગ્વાયાકિવલની જેલમાં થઈ એવી હિંસા અન્ય જેલોમાં ન થાય તે માટે સરકારે વધુ ૩૯૦૦ પોલીસ તૈનાત કરી દીધાં છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.