સૌરાષ્ટ્ર-કચ્છમાં છેલ્લા આઠ મહિના દરમિયાન 131 કરોડની પાવર ચોરી પકડાઈ છે.

આગામી દિવસોમાં વીજચોરી અટકાવવા માટે મોટાપાયે ચેકિંગ હાથ ધરવાનો નિર્ણય જાહેર કર્યો

News Detail

પીજીવીસીએલ દ્વારા ડિવીઝનની કામગીરીમાં સુધારો કરવા એક દિવસીય સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં MD વરૂણકુમાર બરનવાલએ માર્ગદર્શન આપ્યું હતું. સાથોસાથ વીજલોસ ઘટાડવા ટેકનોલોજીનો ઉપયોગ કરવા સહિતના વિચારોનું આદાન પ્રદાન કરવામાં આવ્યું હતું. સૌરાષ્ટ્રમાં વીજચોરીનું દૂષણ વર્ષોથી ઉત્તરોત્તર વધતું રહ્યું છે. વીજચોરી અંકુશમાં લેવા માટેના અનેક પ્રયત્નો કરવામાં આવ્યા પછી પણ સૌરાષ્ટ્ર-કચ્છમાં છેલ્લા આઠ મહિના દરમિયાન 131 કરોડની પાવર ચોરી પકડાઈ છે. જેમાં રાજકોટ શહેર અને જિલ્લામાં 27 કરોડની વીજચોરી ઝડપાઇ છે.

….49,988 વીજ કનેક્શનમાં થતી ગેરરીતિ ઝડપી સૌરાષ્ટ્રભરમાં પીજીવીસીએલ દ્વારા એપ્રિલ 2022થી નવેમ્બર 2022 સુધીમાં 49,988 વીજ કનેક્શનમાં થતી ગેરરીતિ ઝડપી લઇ 131 કરોડ 78 લાખ 90 હજારની વીજચોરી ઝડપી લેવામાં આવી છે. જેમાં રાજકોટ શહેરમાં 12.30 કરોડ, રાજકોટ ગ્રામ્યમાં 15.18 કરોડ, મોરબીમાં 9.37 કરોડ, પોરબંદરમાં 9.61 કરોડ, જામનગરમાં 15.84 કરોડ, ભુજમાં 5.35 કરોડ, અંજારમાં 9.62 કરોડ, જૂનાગઢમાં 8.89 કરોડ, અમરેલીમાં 12.17 કરોડ, બોટાદમાં 6.13 કરોડ, ભાવનગરમાં 18.21 કરોડ અને સુરેન્દ્રનગરમાં 9.06 કરોડની વીજ ચોરી ઝડપાઈ હતી. ઉલ્લેખનીય છે કે અધિકારીઓના મળેલા સેમિનારમાં ઉચ્ચ અધિકારીઓએ આગામી દિવસોમાં વીજચોરી અટકાવવા માટે મોટાપાયે ચેકિંગ હાથ ધરવાનો નિર્ણય જાહેર કર્યો હતો. શિયાળાની ઋતુ દરમિયાન કારખાનાઓ, રેસ્ટોરન્ટ, ફાર્મ હાઉસ, ઈન્ડસ્ટ્રીઝ સહિત અનેક વિસ્તારોમાં પાવરચોરીનું દૂષણ વધતું હોવાથી આ વિસ્તારોમાં સઘન ચેકિંગ શરૂ કરવામાં આવનાર હોવાનું પણ સામે આવ્યું છે. ત્યારે હવે આગામી સપ્તાહથી ફરી સૌરાષ્ટ્રમાં વીજચોરી ઝડપી લેવા સ્ક્વોડ દ્વારા ઝુંબેશ હાથ ધરવામાં આવશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.