તા. 17મી મે પછી લોકડાઉનની સ્થિતીમાં કઇ રીતે છૂટછાટ આપી શકાય: મુખ્યમંત્રીની અધિકારીઓ સાથે બેઠક


– વિજય રૂપાણીએ રાજ્યના તમામ જિલ્લા કલેકટરો, મ્યુનિસિપલ કમિશનરો, જિલ્લા પોલીસ વડાઓ અને રેન્જ આઇ.જી. સાથે વિડીયો કોન્ફરન્સ બેઠક યોજી

– કોવિડ-19 સંક્રમણ નિયંત્રણ-દેખરેખ અને માર્ગદર્શન માટે રાજ્ય સરકારે જિલ્લાઓમાં સોંપેલી જવાબદારી સંભાળતા ઉચ્ચ સચિવો પણ બેઠકમાં જોડાયા

મુખ્યમંત્રીએ અધિકારીઓ સાથે આગામી તા. 17મી મે પછી લોકડાઉનની સ્થિતીમાં કઇ રીતે છૂટછાટ આપી શકાય અને કેવી તકેદારી-સાવચેતી રાખવી તેની જિલ્લાવાર સમીક્ષા સાથે સ્થિતીનો ચિતાર મેળવી ચર્ચાઓ હાથ ધરી છે.

રાજ્ય મંત્રી મંડળના વરિષ્ઠ મંત્રીઓ પણ સંબંધિત જિલ્લા મથકેથી આ વીડિયો કોન્ફરન્સમાં સહભાગી થઈ રહ્યા છે.

ગાંધીનગરથી મુખ્યમંત્રી સાથે આ વિડીયો કોન્ફરન્સમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા, મુખ્ય સચિવ શ્રી અનિલ મૂકિમ તેમજ મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્ર સચિવ અને વરિષ્ઠ સચિવો આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.