1 એપ્રિલથી ભારતમાં વેચાશે દુનિયાનું સૌથી શુદ્ધ પેટ્રોલ અને ડીઝલ

1 એપ્રિલ 2020થી ભારતમાં દુનિયાનું સૌથી સાફ પેટ્રોલ અને ડીઝલ (India to switch to world’s cleanest petrol) વેચાવા લાગશે. સરકારી ઓઈલ કંપનીઓ દેશભરમા યુરો-6 ગ્રેડ ડીઝલ અને પેટ્રોલ ઉપલબ્ધ કરાવશે. ભારતમાં માત્ર ત્રણ વર્ષની અંદર સૌથી સાફ પેટ્રોલના ઉપયોગને અંગે મોટું સ્થાન મેળવ્યું છે. દુનિયાની મોટી અર્થવ્યવસ્થા આવું કરી શકી નથી. ભારત આવું કરીને પસંદગીના દેશોમાં સામેલ થશે. ઉલ્લેખનીય છે કે, 1 એપ્રિલ 2018ના દિવસે દિલ્હી અને એનસીઆરમાં સરકારી ઓઈલ કંપનીઓ યુરો-6 ગ્રેડ ડીઝલ અને પેટ્રોલ વેચશે.

વર્ષ 2015માં, સરકારે 1 એપ્રિલ 2020માં યુરો-6 ઉત્સર્જન માનદંડ લાગૂ કરવાનો નિર્ણય કર્યો હતો. ત્યારબાદ બીએસ-6 પેટ્રોલ અને ડીઝનું વેચાણ થશે. જ્યારે અત્યારે યુરો-4 ગ્રેડનું વેચાણ થઈ રહ્યું છે. આનાથી શું થશે? દેશમાં અનેક મોટા શહેરોમાં વાયુ પ્રદૂષણનું સ્તર ખૂબ જ ઊંચું છે. સામાન્ય રીતે આ ખતરનાક સ્તર ઉપર પહોંચી ગયું છે. એટલા માટે રાષ્ટ્રીય રાજધાનીમાં દેશના બીજા ભાગો પહેલા સ્વચ્છ ઈંધણની વ્યવસ્થા કરવામાં આવી છે. જાણકારોનું કહેવું છે કે, યુરો-6 પેટ્રોલ ડીઝલનું વેચાણ શરૂ થવાથી પ્રદૂષણનું સ્તર ગણું ઓછું થશે.

ઓઈલ કંપનીઓએ શરૂ કર્યું સાફ ઈંધણનુ પ્રોડક્શનઃ- દેશમાં 50 ટકાથી વધારે પેટ્રોલપંપ થકી ઈંધણ સપ્લાય કરનારી મોટી કંપની આઈઓસી (Indian Oil Corp -IOC) ચેરમેન સંજીવ સિંહના કહેવા પ્રમાણે ઓછા સલ્ફરવાળા પેટ્રોલ અને ડીઝલનું પ્રોડક્શન વર્ષ 2019ના અંતથી શરુ કરવામાં આવ્યું છે. ઓઈલ કંપનીઓ હવે દેશમાં ઈંધણની પ્રત્યેક બુંદને નવા સાથે બદલવાનું કઠીન કામ લગભગ પૂરું કરી લીધું છે

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.