20-20 રમવા નહીં, ‘નાઈટ વોચમેન’ તરીકે આવ્યા છે CM રૂપાણી: અર્જુન મોઢવાડિયા

ગુજરાતમાં રાજકોટ, અમદાવાદ સહિત રાજ્યભની હોસ્પિટલમાં બાળકોનાં મોત મામલે રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસ આ મુદ્દાને લઈને આજે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન કરી રહી છે. તો કોંગ્રેસનાં નેતા અર્જુન મોઢવાડિયાએ આ મામલે વિજય રૂપાણી પર આકરાં પ્રહાર કર્યા હતા. એટલું જ નહીં, અર્જુન મોઢવાડિયાએ કહ્યું કે, 20-20 રમવા નહીં નાઈટ વોચમેન તરીકે આવ્યા છે CM.

ગુજરાતમાં બાળકોનાં મોત મામલે અર્જુન મોઢવાડિયાએ પ્રતિક્રિયા આપતાં સીએમ રૂપાણીનાં 20-20 મેચવાળા નિવેદનને લઈ તેમના પર પ્રહાર કર્યા હતા. મોઢવાડિયાએ કહ્યું કે, 20-20 રમવામાં બાળ મૃત્યુદર ઊંચો કરી દીધો છે. સરકારી શાળાઓ બંધ કરવાનો આંકડો ઊંચો કર્યો છે. જનતાએ આવું શાસન કરવા માટે મેન્ડેટ આપ્યો નથી. આટલેથી ન અટકતાં મુખ્યમંત્રી 20-20 રમવા માટે નહીં નાઈટ વોચમેન તરીકે આવ્યા છે.

ગુજરાતમાં નવજાત બાળકોના મૃત્યુના ચોંકાવનારી વિગત અંગે અર્જુન મોઢાવડીયાનું કહ્યું કે, ગુજરાત સરકારે પોતે આપેલા આંકડા જોયા હોય તો રાજસ્થાનની વાત ન કરે. ગુજરાતમાં 41 ટકા બાળકો કુપોષિત છે. સમગ્ર દેશમાં મુખ્ય પાંચ રાજ્યોમાં ગુજરાતનો સમાવેશ થાય છે. 22 ટકા બાળકો સમગ્ર રાજ્યમાં આ પ્રમાણે મૃત્યુ પામે છેઃ. 23 વર્ષથી સત્તામાં હોવા છતાં ભાજપ સરકાર બાળકોને બચાવી નથી શકતી. મુખ્યમંત્રીએ રાજકોટની જવાબદારી સ્વીકારીને રાજીનામુ આપવું જોઈએ. જે મુખ્યમંત્રી પોતાના વિસ્તારના બાળકોને બચાવી ન શકે તે ગુજરાતના બાળકોને ન બચાવી શકે. ઉદ્યોગપતિના અર્થતંત્રની ચિંતા કરવાના બદલે ગુજરાતના લોકોના આરોગ્યની ચિંતા કરવી જોઈએ.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.