24 કલાકમાં ગુજરાતમાં નોંધાયા 1067 પોઝિટિવ કેસ, કુલ 70000થી વધારે થયાં સ્વસ્થ

ભારતમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે સાથે સાથે ગુજરાતમાં પણ સંક્રમિતોનો આંકડો વધી રહ્યો છે.  જો કે મૃત્યુદર છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં વાયરસના નવા 1067 કેસ સામે આવ્યા છે. રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા છેલ્લા 24 કલાકમાં નોંધાતા પોઝિટિવ કેસના આંકડાઓ જાહેર કરવામાં આવ્યા.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કુલ 1067 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે અને 13 દર્દીઓના મોત થયાં છે. રાજ્યમાં કુલ 2910 દર્દીઓના મોત થયાં છે. તેમજ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1021 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી સ્વસ્થ થયાં છે.

આજે નોંધાયેલા કુલ 1067 કેસમાંથી સુરત કોર્પોરેશન એરિયામાં 159 અને જિલ્લામાં 70 કેસ, અમદાવાદ કોર્પોરેશન એરિયામાં 151 અને જિલ્લામાં 14 કેસ, વડોદરા કોર્પોરેશન એરિયામાં 88 અને જિલ્લામાં 32 કેસ, રાજકોટ કોર્પોરેશન એરિયામાં 67 અને જિલ્લામાં 31 કેસ નોંધાયા છે.

રાજ્યમાં નોંધાયેલા કુલ કેસોમાંથી હાલ 75 લોકો વેન્ટિલેટર પર છે. જ્યારે 14,611 દર્દીઓ સ્ટેબલ છે. અત્યાર સુધીમાં 70,250 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. રાજ્યમાં મૃતકોનો આંકડો 2910 થયો છે.

 

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.