26મીએ રજૂ થનારા બજેટમાં કેજરીવાલ ઇફેક્ટ જોવા મળી શકે, કેજરીવાલ બદલશે દેશનો નકશો

દિલ્હીમાં સત્તત ત્રીજી વખત જીતનો ડંકો વગાડ્યા બાદ હવે દેશની રાજનીતિ બદલવા માટેની અરવિંદ કેજરીવાલે કવાયત શરુ કરી છે. ભાજપના કટ્ટર હિન્દુત્વની સામે આમ આદમી પાર્ટીના સુપ્રીમોએ સોફ્ટ હિન્દુત્વની રાજનીતિની પકડી લીધી છે. કેજરીવાલ ભ્રષ્ટાચાર મુક્ત અને દેશના વિકાસના એજન્ડા પર કામ કરવાના દમ પર શીલા દીક્ષિતના નેતૃત્વવાળી કોંગ્રેસને પરાજયનો સ્વાદ ચખાવ્યો હતો. પણ જ્યારે સામનો બીજેપી સામે હતો તો તેમણે પોતાના એજન્ડાને સોફ્ટ હિન્દુત્વ તરફ ટર્ન કરી લીધો અને હનુમાન ભક્ત બની ગયા.

દિલ્હીના ગ્રેટર કૈલાશથી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય સૌરભ ભારદ્રાજે ટ્વીટર પર લખ્યું છે કે, દરેક મંગળવારના પહેલા દિવસે સુંદરકાંડનો પાઠ અલગ અલગ વિસ્તારોમાં કરવો પડશે. NIAને આપેલા નિવેદનમાં તેમણે કહ્યું કે, ‘આ ચૂંટણીમાં અમારા પર ઘણી સમસ્યાઓ આવી. જ્યારે જ્યારે અમારી અને દિલ્હી પર સંકટના વાદળ ઘેરાયા ત્યારે સંકટમોચક બનીને ભગવાન હનુમાનજી બહાર આવ્યા. હનુમાનજી એવા ભગવાન છે જે ગરીબોના પણ છે અને અમીરોના પણ છે. મહિલાઓમાં પોપ્યુલર છે અને બાળકોમાં પણ. ભૂતોને દૂર રાખવા માટે હનુમાનજી અમારા માટે સૌથી મોટી તાકાત છે.’

ગુજરાત વિધાનસભામાં 26મી ફેબ્રુઆરીએ રજૂ થનારા 2020-21ના વર્ષના સામાન્ય બજેટમાં આ વખતે અરવિંદ કેજરીવાલ ઇફેક્ટ જોવા મળી શકે તો નવાઇ પામવા જેવું નથી. દિલ્હીની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીનો જે મુદ્દાઓ પર વિજય થયો છે તેવો વિજય ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ તેમજ મહાનગરપાલિકાઓની ચૂંટણીમાં થાય તે માટે સરકારે અત્યારથી આયુધ સજાવ્યા છે.

ગુજરાત રાજ્યમાં સપ્ટેમ્બર-ઓક્ટોબર મહિનામાં સ્થાનિક ચૂંટણીઓ આવી રહી છે ત્યારે નવા વર્ષના સામાન્ય અંદાજપત્રમાં દિલ્હીની પેટર્ન પ્રમાણે રાજ્યના વિકાસની યોજનાઓ મંજૂર થાય તેવી સંભાવના છે. રાજ્યના નાણામંત્રી આ વખતે અંદાજપત્રમાં લોકો ખુશખુશાલ થઇ જાય તેવી નવી યોજનાઓ લાવી રહ્યાં છે. એ સાથે આમ આદમીને સ્પર્શતી બાબતોની જોગવાઇ પણ કરવામાં આવી શકે છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.