70 વર્ષથી ખેડૂતો લુંટાતા રહ્યા, ત્યારે આ બધા ક્યાં હતા’ જે વચેટિયાની દુકાનો બંધ થઇ રહી છે એ બૂમાબૂમ કરે છે

– ખેતીવાડી નિષ્ણાતે ટીવી ચેનલની ચર્ચામાં અભિપ્રાય આપ્યો

છેલ્લાં 70 વર્ષથી ખેડૂતો લૂંટાતા રહ્યા છે. આજે આંદોલન કરનારા લોકો ત્યારે ક્યાં હતા એવો અણિયાળો સવાલ એક કૃષિ નિષ્ણાતે કર્યો હતો.

પંજાબ, હરિયાણા વગેરે રાજ્યોમાં થઇ રહેલા હિંસક દેખાવો વિશે એક ટીવી ચેનલે યોજેલી ચર્ચામાં બોલતાં આ કૃષિ નિષ્ણાતે એવો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો કે જે વચેટિયાઓની દુકાન બંધ થઇ રહી છે એ લોકો આજે ખેડૂતોના નામે બૂમરાણ મચાવી રહ્યા હતા. એમને ખેતીવાડી સાથે કશી લેવા દેવા નથી.

કેન્દ્ર સરકારે તાજેતરમાં ત્રણ નવા કૃષિ કાયદા ઘ઼ડ્યા હતા. વિરોધ પક્ષોનો એવો આક્ષેપ છે કે આ કાયદા મોટા ઉદ્યોગપતિઓના લાભાર્થે ઘડવામાં આવ્યા હતા. આ કાયદાથી ખેડૂતો લૂંટાતા રહેશે. એ વિશેની ટીવી ચેનલની ચર્ચમાં સહભાગી થતાં આ કૃષિ નિષ્ણાતે એવો સવાલ કર્યો હતો કે છેલ્લાં 70 વર્ષથી ખેડૂતો લૂંટાતા રહ્યા હતા ત્યારે આ બધા ક્યાં હતા. હવે જ્યારે તેમની દુકાનોને તાળાં દેવાઇ રહ્યાં હતાં ત્યારે એ લોકો કાગારોળ મચાવી રહ્યા હતા.

પંજાબના આ કૃષિ નિષ્ણાત વિજય સરદાનાએ દાખલા દલીલ સહિત પોતાની વાત સમજાવી હતી. તેમણે કહ્યું, ‘તમે પચાસ રૂપિયાનું શાક ખરીદો છો ત્યારે ખેડૂતને તો માત્ર પાંચ રૂપિયા મળે છે. બાકીના પૈસા વચેટિયા અને દુકાનદાર ખાઇ જાય છે. આવું છેલ્લાં 70 વર્ષથી થતું આવ્યું છે. અત્યાર સુધી આ બધા ક્યાં હતા. કેમ ખેડૂતોનાં હિત માટે લડવા બહાર નહોતા આવતા. હવે સરકારે એવો કાયદો ઘડ્યો છે કે ખેડૂતને બજારમાં (મંડીમાં) પોતાના માલની પૂરી કિંમત ન મળે તો એ બહાર વેચી શકે છે. એમાં ખોટું શું છે અને ક્યાં છે એ તો સમજાવો.’

વિજય સરદાનાની આ વાત સાંભળીને કોંગ્રેસી સભ્ય અભય દૂબે ભડકી ગયા હતા. તેમણે કહ્યું કે સૌથી ખરાબ સ્થિતિ બિહારના ખેડૂતોની છે જ્યાં ભાજપ અને એનડીએનું શાસન છે. તરત વિજય સરદાનાએ કહ્યું કે બિહારના ખેડૂતો પરેશાન છે તો પંજાબ અને હરિયાણામાં દેખાવો કેમ થઇ રહ્યા છે. બિહારમાં કેમ દેખાવો નથી થતા.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.