9 ઓગસ્ટે વિશ્વ આદિવાસી દિવસ હોઈ દાહોદ જિલ્લાની તમામ શાળામાં રજા જાહેર કરાઈ, શિક્ષણ વિભાગ દ્વારા પરિપત્ર જાહેર કરાયો..

9 મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે ગુજરાતના એક જિલ્લા દ્વારા 9 ઓગસ્ટના રોજ જિલ્લાની તમામ શાળાઓમાં રજાની જાહેરાત કરવામાં આવી છે. આ જિલ્લો છે દાહોદ જિલ્લો. ગુજરાતનો આ જિલ્લો સૌથી વધુ આદિવાસીઓની વસ્તી ધરાવે છે. જેને ધ્યાનમાં રાખીને આ જાહેરાત કરાઈ છે.

દાહોદ જિલ્લાની તમામ શાળાઓમાં 9 ઓગસ્ટના રોજ રજાની જાહેરાત કરાઈ છે. 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીના પગલે શિક્ષણ વિભાગ દ્વારા પરિપત્ર જાહેર કરાયો છે. શાળાઓને બે દિવસ અગાઉ પણ આદિવાસી સંસ્કૃતિ અંગે જાગૃતતા આવે તે હેતુથી કાર્યક્રમ યોજવા તેવો જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા આદેશ કરાયો છે. આદિવાસી સમાજ મા વધતા જતા દુષણો દુર થાય તે હેતુ અનુલક્ષી કાર્યક્રમ યોજવા શિક્ષણ વિભાગે પરિપત્ર કરાયો.

કેમ અને ક્યારે ઉજવાય છે આદિવાસી દિવસ

યુનાઇટેડ નેશન્સ (UN) વિશ્વના આદિવાસી લોકોનો આંતરરાષ્ટ્રીય દિવસ દર વર્ષે 9 ઓગસ્ટે વિશ્વની આદિવાસી વસ્તીના અધિકારોને પ્રોત્સાહન આપવા અને તેનું રક્ષણ કરવા માટે મનાવવામાં આવે છે. વિશ્વ આદિવાસી દિવસ તરીકે પણ ઓળખાય છે, આ ઇવેન્ટ પર્યાવરણીય સંરક્ષણ જેવા વિશ્વ મુદ્દાઓને સુધારવા માટે સ્વદેશી લોકો જે સિદ્ધિઓ અને યોગદાન આપે છે તેને પણ માન્યતા આપે છે.

ઉજવણીનો હેતુ

દર વર્ષે આ દિવસે સ્વદેશી યુવાનો અને તેમના વિકાસમાં રોકાયેલા સરકારી-બિન-સરકારી સંગઠનો તેમના લોકોના અધિકારોને પ્રોત્સાહન અને રક્ષણ આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકાને પ્રકાશિત કરે છે. સ્વદેશી યુવાનો સામાજિક પરિવર્તન માટેની ચળવળોમાં મોટાભાગે મોખરે હોય છે. તેઓ જાગૃતિ લાવવા માટે અવાજ ઉઠાવે છે. તેઓ તેમની કુશળતા અને પ્રતિભાનો ઉપયોગ તેમના સમુદાયોમાં લોકોના ભલા માટે તેમના સમુદાયો સામેના પડકારોનો સામનો કરવા માટે કરે છે.

આ દિવસ સાથે જોડાયેલો ઈતિહાસ

21મી સદીની શરૂઆતમાં, સંયુક્ત રાષ્ટ્રને જાણવા મળ્યું કે વિશ્વભરના આદિવાસી જૂથો ઘણી સમસ્યાઓથી પીડાઈ રહ્યા છે. જેમાં બેરોજગારી, બાળ મજૂરી અને અન્ય ઘણી સમસ્યાઓનો સમાવેશ થાય છે. આમ યુનાઈટેડ નેશન્સે આ માટે એક સંસ્થા બનાવવાની જરૂરિયાત અનુભવી. આ પછી UNWGIP (યુનાઈટેડ નેશન્સ વર્કિંગ ગ્રુપ ઓન ઈન્ડિજીનસ પોપ્યુલેશન્સ) ની રચના થઈ. સૌપ્રથમ આંતરરાષ્ટ્રીય આદિવાસી દિવસ ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું. આ સંદર્ભમાં, સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ ડિસેમ્બર 1994માં નિર્ણય લીધો કે દર વર્ષે 9 ઓગસ્ટને આ દિવસ તરીકે ઉજવવામાં આવશે. આ તારીખ 1982 માં સંયુક્ત રાષ્ટ્ર કાર્યકારી જૂથની પ્રથમ બેઠકના દિવસને ચિહ્નિત કરે છે. સ્વદેશી વસ્તીના માનવાધિકારોના સંવર્ધન અને સંરક્ષણ માટે પેટા પંચની રચના કરવાનો નિર્ણય લેવામાં આવ્યો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.