સંસદમાં સેક્સ પર બિંદાસ્ત બોલનાર ત્રિપાઠીનું નિધન, રાજ્યસભામાં આપ્યું હતું ઐતિહાસિક ભાષણ

NCPના સિનિયર નેતા અને પૂર્વ સાંસદ ડીપી ત્રિપાઠીનું ગુરૂવારના રોજ નિધન થયું છે. તેઓ લાંબા સમયથી બીમાર હતા. દિલ્હીની હોસ્પિટલમાં તેમનું નિધન થયું છે. એનસીપીના સિનિયર નેતા પ્રફુલ્લ પટેલે પૂર્વ સાંસદ ડીપી ત્રિપાઠીના નિધન પર શોક વ્યકત કર્યો છે. તેમણે કહ્યું કે પોતાના સહયોગી ડીપી ત્રિપાઠીના નિધનથી આઘાત લાગ્યો છે. તેમને કયારેય ભૂલી શકાશે નહીંય ઇશ્વર તેમના આત્માને શાંતિ આપે. એનસીપીના મુખ્યા શરદ પવારના ખૂબ જ નજીક મનાતા હતા.

હાલ ડીપી ત્રિપાઠી એનસીપીના મહાસચિવ તરીકે જવાબદારી સંભાળી રહ્યા હતા. ગયા વર્ષે જ રાજ્યસભામાં તેમનો કાર્યકાળ સમાપ્ત થયો હતો. પોતાના વિદાય ભાષણમાં તેમણે સેક્સના મુદ્દાને ઉઠાવતા કહ્યું હતું કે આજ સુધી તેના પર સંસદમાં ચર્ચા થઇ નથી જ્યારે ગાંધીજી અને લોહિયાએ પણ તેના પર વાત કરી હતી. તેમણે કહ્યું કે સેક્સ સાથે જોડાયેલી બીમારીઓના લીધે મોત થાય છે, પરંતુ કયારેય તેના પર વાત થઇ નથી.

ત્રિપાઠીએ કહ્યું હતું, જ્યાં કામસૂત્ર લખ્યું, ત્યાં સંસદમાં સેક્સ પર વાત કેમ નહીં

તેમણે કહ્યું કે જે દેશમાં કામસૂત્ર જેવા પુસ્તક લખાયા હતા, ત્યાંની સંસદમાં સેક્સ જેવા વિષય પર કયારેય વાત થઇ નથી. આ પુસ્તકને લખનારા વાત્સ્યાયનને ઋષિનો દરજ્જો પ્રાપ્ત હતો. અજંતા-ઇલોરાની ગુફાઓ અને ખજુરાહોના સ્મારક તેના પર સમર્પિત છે, પરંતુ કયારેય સંસદમાં આ મુદ્દો ઉઠાવ્યો નથી. 1968મા રાજનીતિમાં આવેલા ડીપી ત્રિપાઠીને સંસદના સારા વક્તાઓમાં સામેલ કરાતા હતા. ઇમરજન્સીના આંદોલન સમયે તેઓ જેલમાં પણ રહ્યા હતા.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.