શું મહાઅભિયોગની કાર્યવાહી ખોરંભે ટ્રમ્પે કાસિમ સુલેમાનીની હત્યા કરાવી?: માર્ટીન ગેલાગેરનો દાવો

અલ-કાયદાના વડા ઓસામા બિન લાદેનની હત્યા પછી ઈરાની કુદ્સ દળના કમાન્ડર કાસિમ સુલેમાનીના મોતથી થયો તેવો વિવાદ જગતમાં ભાગ્યે જ બીજા કોઈના મોતથી થયો છે.

છેલ્લા ઘણા દાયકામાં અમેરિકાએ મધ્ય-પૂર્વમાં કરેલો આ સૌથી મોટો હુમલો છે.

વિવાદાસ્પદ ઈરાની કમાન્ડરનો કાફલો જઈ રહ્યો હતો તે વાહનો પર બૉમ્બમારો કરવાનો હુકમ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આપ્યો તેનાથી ઘણા ચોંક્યા છે.

સુલેમાની મધ્ય પૂર્વમાં કાર્યવાહી સંભાળતા હતા અને તેમના મોતના કારણે વૉશિંગ્ટન અને તેહરાન વચ્ચે તંગદિલી ખૂબ વધી ગઈ છે.

આવા આક્ષેપો કરવા સહેલા હોય છે, અને સ્થાનિક રાજકીય પરિબળો ધ્યાને લેવાતા જ હોય છે.

ખાસ કરીને ટ્રમ્પ માટે આ ચૂંટણીનું વર્ષ છે ત્યારે આ ઘટના બે કારણોસર થઈ હતીઃ તક અને સંજોગો.

ઇરાકમાં રહેલા અમેરિકી થાણાઓ પર હુમલા વધી રહ્યા હતા તે સંદર્ભ હતો અને નજીકના ભવિષ્યમાં હુમલાની અસ્પષ્ટ વાતો પૅન્ટાગોને કરી છે તે પણ હતી. આ સંજોગોમાં તક મળી ગઈ અને અમેરિકાના જાસૂસી તંત્રની કામગીરી ફરી અચૂક નીવડી.

ઈરાન કોઈ પ્રતિસાદ આપવા માગતું હોય ત્યારે તેણે આ જાસૂસી તંત્રની તાકાતને પણ ધ્યાને લેવી પડશે.

ચૂંટણીનું વર્ષ છે ત્યારે પ્રમુખ ટ્રમ્પ વધારે અમેરિકી સૈનિકોનો ભોગ લેવાય તેમ નહીં ઇચ્છતા હોય.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.