ગૂજરાત વિદ્યાપીઠના વિદ્યાર્થીઓ પતંગ લઈને મેદાનમાં, ‘જો બાપુ હોત તો સરકાર સામે ઝંડો લઈને જાતે નીકળી પડ્યા હોત’

ઉત્તરાયણના દિવસે ગૂજરાત વિદ્યાપીઠના કેટલાક વિદ્યાર્થીઓ દ્વારા નાગરિકતા સંશોધન કાયદો (CAA), NRC અને NPR અંગે પોતાનો વિરોધ રજૂ કરવા માટે આ તમામ જોગવાઈઓનો વિરોધ કરતી સૂત્રોની પ્રિન્ટવાળા પતંગ ઉડાવવાનું નક્કી કરાયું હતું.

જોકે, વિદ્યાર્થીઓનો આરોપ છે કે CAA (સિટીઝનશિપ ઍમેન્ડમૅન્ટ ઍક્ટ) , NRC (નેશનલ રજિસ્ટર ઑફ સિટીઝન્સ) અને NPR (નેશનલ પૉપ્યુલેશન રજિસ્ટર) વિરુદ્ધ સૂત્રો લખેલા પતંગ ચગાવવા જતા વિદ્યાર્થીઓને પોલીસે વિદ્યાપીઠના કૅમ્પસમાં ઘૂસીને અટકાવ્યા હતા.

આ દરમિયાન પ્રદર્શનકારી વિદ્યાર્થીઓ અને પોલીસ વચ્ચે રકઝક પણ થઈ હતી.

સરકારી જોગવાઈઓ વિરુદ્ધ અહિંસક વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓની કનડગત કરવાનો પોલીસ પર આરોપ મુકાયો છે.

દેશભરમાં ચાલી રહેલાં સરકારની નીતિ વિરુદ્ધનાં આંદોલનો અને તેને દબાવવા માટે સરકારી તંત્ર તરફથી થઈ રહેલા પ્રયત્નોની વ્યાપક અસર વિશે જાણવા કેટલાક નિષ્ણાતો સાથે વાત કરી હતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.