અમેરિકા નાં પ્રતિબંધને કારણે ભારતના ખેડૂતોને મસમોટું નુકસાન- ઈરાનનો દાવો

ઈરાનના વિદેશ મંત્રી મોહમ્મદ જાવેદ જરીફનું કહેવું છે કે, ઈરાન હાલમાં અમેરિકા સાથે વાતચીત કરવા પર વિચાર કરી રહ્યું નથી. વાતચીત સંપૂર્ણ રીતે બંધ કરવામાં આવી છે. હાલના હાલાતમાં ભારત એક મહત્વની ભૂમિકા ભજવી શકે છે.

તેમણે કહ્યું કે, અમે અમેરિકાથી ડરતા નથી. એપ્રિલ 2018 સુધી બંને દેશો એકબીજા સાથે વાતચીત કરી રહ્યા હતા. બંને દેશોના સંબંધમાં ભારત અગત્યની ભૂમિકા ભજવી શકે છે અને અમેરિકાને ફરી વાતચીત માટે લાવી શકે છે.

તેમણે કહ્યું કે, ભારત જો આવો પ્રસ્તાવ રાખે છે તો અમેરિકા ના પાડશે નહિ. અમેરિકાને અન્ય દેશો પર પ્રતિબંધ લગાવવાનો અધિકાર નથી. કારણ કે તેણે પોતે હિરોશિમા પર પરમાણુ બોમ્બ ફેંક્યો હતો.

ઈરાનના વિદેશ મંત્રી બોલ્યા કે, અમેરિકાએ જે પ્રતિબંધો અમારા પર લગાવ્યા છે, તેને કારણે ભારતે ઈરાન પાસેથી ફર્ટિલાઈઝર લેવા માટે વધારે પૈસા આપવા પડશે. અમેરિકા દ્વારા પ્રતિબંધ લગાવવાને કારણે જ ભારતના ખેડૂતો મુશ્કેલીમાં છે. ઈરાનને ભારતના બાસમતી ચોખા પસંદ છે. બંને દેશો કૃષિક્ષેત્રમાં એકબીજાની મદદ કરી શકે છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.