પાકિસ્તાન ની નાપાક અને અમાનવીય હરકત, કોરોના વાયરસના દર્દીના ઈલાજ નો કર્યો ઇન્કાર

કોરોનાવાયરસના કારણે ચીનથી પરત ફરીવાના ઈચ્છુક લોકોને પાછા લાવવાનો ઈનકાર કરી આખી દુનિયામાં પોતાને હંસીને પાત્ર બનાવનાર પાકિસ્તાની વધુ એક હલકી હરકત સામે આવી છે. પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં કોરોનાવાયરસનો એક શંકાપ્રદ દર્દી સામે આવ્યા બાદ ત્યાંના હોસ્પિટલે તેની સારવાર કરવાથી ઈનકાર કરી દીધો છે. પાકિસ્તાની ડોક્ટરોએ ચીનથી પરત ફરેલા ઇજનેરીંગના એક બીમાર વિદ્યાર્થીમાં વાયરસના લક્ષણો મેળવ્યા. ત્યાર બાદ તેને બાકી લોકોથી અલગ કરી દેવામાં આવ્યો.

વુહાનમાં પેટ્રોલિયમ ઇજનેરીંગ કરી રહેલો શાહજેબ અલી રહુજા શનિવારે પાકિસ્તાન પહોંચ્યો હતો. તેના ભાઈ ઈરશાદે જણાવ્યા અનુસાર ચીનના એરપોર્ટ પર શાહજેબની સ્ક્રિનિંગ બાદ કરાચી એરપોર્ટ પર તેની તપાસ કરવામાં આવી પરંતુ તેમાં કોઈ લક્ષણ ન મળ્યા. ઘરે તેને તાવ અને ખાંસી થવા લાગી. ત્યાર બાદ તેને દવા આપવામાં આવી. નાકથી લોહી વહ્યા બાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો, ઈરશાદે આ મામલે એક વીડિયો પોસ્ટ કર્યો છે.

વીડિયોમાં ઈરશાદે દાવો કર્યો છે કે શાહજેબની હાલત જોઈને ડોક્ટરોએ તેને એક રૂમમાં બંધ કરી તેને પોતાના હાલ પર છોડી દીધો છે. વાયરલ વીડિયોમાં કહેવામાં આવી રહ્યું છે કે સ્વાસ્થ્ય અધિકારીઓએ શાહજેબને તપાસ અને ઈલાજ માટે કરાચી મોકલવા માટેનું આશ્વાસન આપ્યું છે. કારણ કે સરકારી હોસ્પિટલમાં બીમારીના ઈલાજનો સામાન નથી. સિંધ પ્રાંતની સ્વાસ્થ્ય મંત્રી અજરા ફઝલ પેચૂહોએ મામલાએ આ વાત ફગાવી દેતા જણાવ્યું કે શાહજેબ માટે હાલ કોઈ જલ્દી નથી. તેમાં કોરોના વાયરસના લક્ષણ નથી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.