ગુજરાતમાં ખરાબ રસ્તાને કારણે 1 વર્ષમાં 54 લોકોના જીવ ગુમાવ્યા-NCRB નો ચોંકાવનારો ખુલાસો

નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યૂરોની એક રિપોર્ટ અનુસાર, ગુજરાતમાં એક વર્ષમાં રોડ અકસ્માતને કારણે કુલ 8574 લોકો મોતના ઘાટે ઉતર્યા છે. તેમાંથી સૌથી વધારે 5972 લોકો માત્ર ઓવરસ્પીડને કારણે મરે છે.

ગુજરાતમાં રોજ 16 લોકો રોડ અકસ્માતને કારણે જીવ ગુમાવે છે. ઓવર સ્પીડને કારણે પણ ગુજરાતમાં 1 વર્ષમાં 1834 લોકોની મોત થઈ છે. માત્ર અમદાવાદમાં સ્પીડને કારણે 78, ઓવર સ્પીડને કારણે 293 અને દારુ પીઈને ગાડી ચલાવવાને કારણે 2 લોકોની મોત થઈ છે.

વધારે સ્પીડને કારણે થયેલા અકસ્માતોમાં 1 વર્ષમાં 13,941 મામલાઓ નોંધાયા છે. જેમાં 13,148 લોકોને ઈજા થઈ છે. તો 5,972 લોકોના મોત થયા છે. આ રીતે ગુજરાતમાં રોજ 16 લોકોની મોત રોડ અકસ્માતમાં થાય છે. નશામાં ગાડી ચલાવવા માટે 1 વર્ષમાં 300 મામલા નોંધાયા છે. જેમાંથી 296 લોકો ઘાયલ થયા છે. ડ્રંક એન્ડ ડ્રાઈવમાં ગુજરાતમાં કુલ 122 લોકોની મોત થઈ છે.

અકસ્માતના અન્ય કારણો અનુસાર, ડ્રાઈવરને થાકને કારણે 149, રસ્તામાં પ્રાણી આવી જવાને કારણે 79, ખરાબ હવામાનને કારણે 179, લો વિઝિબિલિટીને કારણે 119 અને ખરાબ રોડને કારણે 54 લોકોના મોત થયા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.