ગુજરાતમાં અનામત માટે થઈ રહેલાં આંદોલનોથી રૂપાણી સરકારને કેટલું નુકસાન?

ગુજરાતમાં છેલ્લા છ મહિનાથી શરૂ થયેલાં અલગઅલગ જ્ઞાતિનાં આંદોલનોને કારણે ગુજરાતની રૂપાણી સરકાર વારેવારે વિવાદમાં આવતી રહે છે.

ઓબીસી અને આદિવાસીઓના આંદોલન પછી સરકાર ઝૂકી જતા હવે બિનઅનામતના આંદોલનનું ભૂત ફરી ધૂણવા લાગ્યું છે અને દિવસેને દિવસે આંદોલનો વધારે બળવત્તર બની રહ્યાં છે.

અગાઉ બિનસચિવાલયની પરીક્ષાને લઈને વિદ્યાર્થીઓએ આંદોલન છેડ્યું હતું અને સરકારને પરીક્ષા રદ કરવાની ફરજ પડી હતી.

તો હવે અનામત અને બિનઅનામત વર્ગના આંદોલનોથી રૂપાણી સરકાર સામે ફરી સંકટ તોળાઈ રહ્યું છે.

રાજકીય નિષ્ણાતો માને છે કે આ આંદોલનોથી આવનારી ચૂંટણીમાં ભાજપ સરકારને નુકસાન પણ થઈ શકે છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.