UNGA : નરેન્દ્ર મોદીની રણનીતિ શું હતી અને ઇમરાન ખાન કેટલા પ્રભાવી રહ્યા?

ભારત અને પાકિસ્તાનના વડા પ્રધાને શુક્રવારે સંયુક્ત રાષ્ટ્રની મહાસભાના 74મા સત્રને સંબોધિત કર્યું. આ સંબોધનની રાહ ભારત અને પાકિસ્તાનને જ નહીં, પરંતુ અન્ય દેશોના લોકો અને વિવચકો પણ જોઈ રહ્યા હતા.

ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પાકિસ્તાનનું નામ લીધા વિના વિશ્વશાંતિ અને ઉગ્રવાદની સમસ્યા પર વિચારો રજૂ કર્યા અને દુનિયા સામે પોતાની ઉપલબ્ધિઓ રજૂ કરી, તો સામે ઇમરાન ખાને આ વૈશ્વિક મંચ પર ભારતને ઘેરવાની કોશિશ કરી.

ઇમરાન ખાને આંતરરાષ્ટ્રીય મંચ પર કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો અને બેઉ દેશો વચ્ચે સંભવિત યુદ્ધની સ્થિતિને લઈ થનાર વૈશ્વિક નુકસાન વિશે દુનિયાના દેશોને ચેતવણી આપી.

જોકે, સવાલ એ છે કે નરેન્દ્ર મોદીએ પાકિસ્તાનની ચર્ચા કરવાને બદલે અન્ય આંતરરાષ્ટ્રીય મુદ્દાઓની વાત કેમ કરી?

અને, ઇમરાન ખાને એનાથી સાવ ઊલટું પોતાના દેશ વિશે વાત ન કરવાને બદલે કાશ્મીર વિશે વાત કેમ કરી?

આ બેઉ નેતાઓના ભાષણોનો અર્થ સમજવા માટે બીબીસીએ કાશ્મીર સ્થિત ડેલાવેયર વિશ્વવિદ્યાલયના પ્રોફેસર મુક્તદર ખાન અને પાકિસ્તાનના વરિષ્ઠ પત્રકાર હારૂન રશીદ સાથે વાત કરી. વાંચો એમનો દૃષ્ટિકોણ.

નરેન્દ્ર મોદીના ભાષણ પર પ્રોફેસર મુક્તદર ખાનનું મંતવ્ય

ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રણ-ચાર મહત્ત્વની વાતો કરી.

સૌથી મહત્ત્વની વાત એ હતી કે એમણે દુનિયાને એ યાદ કરાવ્યું કે ભારત દુનિયાની સૌથી મોટી લોકશાહી છે.

તાજેતરમાં થયેલી ચૂંટણીમાં એમને અને એમની પાર્ટીને મોટું સમર્થન મળેલું છે. એક રીતે તેઓ ઇશારો કરી રહ્યા હતા કે તેઓ દુનિયામાં સૌથી મોટા ચૂંટાયેલા નેતા છે.

સાથે જ એમણે એમ પણ કહ્યું કે હવે ગરીબી કેવી રીતે હઠાવી શકાય અને જળવાયુ પરિવર્તન કેવી રીતે રોકી શકાય એનો માર્ગ હવે ભારત દુનિયાને દર્શાવવા માગે છે.

એમણે સરકારની કેટલીક નીતિઓ પર ઇશારો કરીને કહ્યું કે ભારત સારું કામ કરી રહ્યું છે.

જોકે, કાશ્મીર મામલે ભારતની વિરુદ્ધ આંતરરાષ્ટ્રીય સ્તરે જે પણ કહેવાઈ રહ્યું છે એના વિશે તેઓ કંઈ ન બોલ્યા.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.