ભારતીય સ્વતંત્રતા સંગ્રામમાં અંગ્રેજોનો સામનો કરનારા ક્રાંતિકારી ચંદ્રશેખર આઝાદની આજે 89 મી શહીદ જયંતિ

ભારતીય સ્વતંત્રતા સંગ્રામ (Indian Freedom Struggle)માં અંગ્રેજોનો સામનો કરનારા ક્રાંતિકારી ચંદ્રશેખર આઝાદ આજના જ દિવસે 89 વર્ષ પહેલા શહીદ થયા હતા. આવો જાણીએ તેમની જિંદગી સાથે જોડાયેલી કેટલીક વાતો..

ચંદ્રશેખર આઝાદ 15 વર્ષની ઉંમરે અસહયોગ આંદોલનમાં સામેલ થયા હતા. તેના કારણે તેઓ જીવનમાં પહેલીવાર જેલ ગયા હતા.

જ્યારે જેલમાં ચંદ્રશેખર સાથે પૂછપરછ કરવામાં તો તેઓએ પોતાનું નામ આઝાદ, પિતાનું નામ સ્વતંત્રતા અને સરનામું જેલ જણાવ્યું હતું

જ્યારે જેલમાં ચંદ્રશેખર સાથે પૂછપરછ કરવામાં તો તેઓએ પોતાનું નામ આઝાદ, પિતાનું નામ સ્વતંત્રતા અને સરનામું જેલ જણાવ્યું હતું.

માત્ર 17 વર્ષની ઉંમરે ચંદ્રશેખર આઝાદ હિન્દુસ્તાન રિપબ્લિકન એસોસિએશન સાથે જોડાયેલા હતા. તેજ મગજના કારણે તેમનું નામ ક્વિક સિલ્વર રાખવામાં આવ્યું

1925માં થયેલા કાકોરી કાંડમાં તેઓએ મોટી ભૂમિકા નિભાવી હતી. ક્રાંતિકારીઓના આ પ્રયાસે અંગજોને હલાવીને રાખી દીધા હતા.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.