નોકરીયાત વર્ગને લાગશે મોટો ઝટકો! PF પર ઘટી શકે છે વ્યાજદર

નોકરીયાત વર્ગને મોટો આંચકો લાગી શકે છે. કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (Employees Provident Fund Organisation- EPFO) પ્રોવિડન્ડ ફંડ (PF) પર વ્યાજદરોમાં ઘટાડો કરવાનું વિચારી રહ્યું છે. EPFO નાણાકિય વર્ષ 2020 માટે પીએફ ડિપૉઝિટ પર વ્યાજ દર 15 બેસિસ પોઇન્ટ્સ એટલે કે 0.15 ટકા ઘટાડીને 8.50 ટકા કરી શકે છે.

નાણાકીય વર્ષ 2019માં વ્યાજદર 8.65 ટકા હતો. નોકરીયાત વર્ગ માટે પીએફ (PF) ભવિષ્યની સુરક્ષાનું મોટું માધ્યમ છે અને વ્યાજદર ઘટડાથી તેની પર સીધી અસર પડશે.નાણાકીય વર્ષ 2019માં વ્યાજદર 8.65 ટકા હતો. નોકરીયાત વર્ગ માટે પીએફ (PF) ભવિષ્યની સુરક્ષાનું મોટું માધ્યમ છે અને વ્યાજદર ઘટડાથી તેની પર સીધી અસર પડશે.

ઇકૉનોમિક્સ ટાઇમ્સ’ના રિપોર્ટ મુજબ, લૉન્ગ ટર્મ ફિક્સ્ડ ડિપોઝિટ્સ બૉન્ડ્સ (FDs) અને ગવર્નમેન્ટ સિક્યોરિટીઝથી EPFOની કમાણી છેલ્લા વર્ષમાં 50-80 બેસિસ પોઇન્ટ્સ ઘટી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.