અજીત પવાર અને શરદ પવાર ફરી આમને-સામને, અજીત પવાર કંઈ કાળાધોળુ કરવાની ફિરાકમાં, ઉદ્ધવ ઠાકરે સંકટમાં!

મહારાષ્ટ્રમાં ભાજપ દ્વારા નિષ્ફળ રીતે અને ગેરબંધારણીય રીતે સરકારનું ગઠન કરવામાં આવ્યું હતું જે માત્ર 72 કલાક માં જ પડી ગઈ હતી અને ત્યાર બાદ શિવસેના, એનસીપી અને કોંગ્રેસ દ્વારા સરકાર બનાવવામાં આવી અને ઉદ્ધવ ઠાકરે મુખ્યમંત્રી બન્યા અને ભાજપ ફડણવીસ સરકારની વિદાય થઈ. બસ ત્યાર બાદથી જ ભાજપમાં અને શિવસેનામાં પણ બધું બરાબર નથી. મહા વિકાસ આઘાડીમાં આંતરિક કલહ બહાર આવ્યો છે. તો હવે અજિત પવાર પણ પાર્ટી લાઈનથી બહાર નીકળીને અલગ નિવેદનો આપી રહ્યા છે. અજીત પવાર ના ઈશારા સમજીએ તો ઉદ્ધવ સરકારમાં સબ સલામત નથી.

મહારાષ્ટ્રમાં શિવસેના-કોંગ્રેસ-એનસીપીમાં ભયંકર ડખા ચાલી રહ્યાં છે તે જગ જાહેર છે. હમણાં ભીમા કોરેગાંવ બાબતે પણ શરદ પવારની વિરુદ્ધમાં ઉદ્ધવ સરકારે નિર્ણય લીધો હતો. અને હવે કાકા ભત્રીજા વચ્ચે પણ સબ સલામત નથી. અજીત પવાર અને શરદ પવાર ફરી એકવાર અમનેસામને આવી ગયા છે. અજીત પવારને ભાજપ પાસેથી પાછા લાવીને મહાવિકાસ અઘાડીમાં રાજ્યના ડેપ્યુટી સીએમ બનાવવામાં આવ્યા હતા. પરંતુ અજીત પવાર પાર્ટી લાઇન અને શરદ પવારની વિરુદ્ધમાં જઈને મોદી સરકારનું સમર્થન કરી રહ્યા છે.

વાત એમ છે કે, એનસીપીના નેતા અને મહારાષ્ટ્રના ડેપ્યુટી મુખ્યમંત્રી અજીત પવારે પાર્ટી લાઈન વિરૂદ્ધ જઈને મોદી સરકારની તરફેણ કરતાં કહ્યું હતું કે, CAA અને NRCથી કોઈની પણ નાગરિકતા જવાની નથી. આટલે જ ન અટકતા અજીત પવારે પોતાની જ પાર્ટી અને સિનિયર નેતાઓને નિશાન બનાવ્યા હતા. આડકતરી રીતે શરદ પવાર અને ઉદ્ધવ ઠાકરે પર આકરા પ્રહાર કરતા કહ્યું હતું કે, કેટલાક લોકો જ CAA અને NRCને લઈને ભ્રમ ફેલાવી રહ્યાં છે. મહારાષ્ટ્રમાં બિહારની માફક તેના વિરૂદ્ધ કાયદો પસાર કરવાની જરૂર નથી. આમ અજીત પવારે પાર્ટી લાઇન વિરુદ્ધમાં જઈને આ નિવેદન આપ્યું હતું.

આ પહેલા ઉદ્ધવ સરકાર સમક્ષ એનસીપી અને કોંગ્રેસ CAA અને NRC અંગે વિરોધ નોંધાવી ચુક્યા છે. અને આ બંને વિરુદ્ધમાં બિહારની માફક મહારાષ્ટ્ર વિધાનસભામાં બિલ પાસ કરવાની માંગણી કરી ચુક્યા છે. એક તરફ એનસીપી સુપ્રીમો શરદ પવાર અને કોંગ્રેસ વિરોધ કરી રહ્યા છે ત્યારે રાજ્યના ઉપમુખ્યમંત્રી અજીત પવારે પાર્ટી અધ્યક્ષ અને પાર્ટી લાઈન વિરૂદ્ધ જઈ CAA અને NRCનું ખુલ્લુ સમર્થન કર્યું છે. અજીત પવારનું આ નિવેદન મોદી સરકારના સમર્થનમાં છે તેવું સ્પષ્ટ રીતે જોઈ શકાય છે. આ જોતા અજીત પવાર ગમે ત્યારે પહેલાની જેમ નવાજુની કરે તો કોઈ નવાઈ નથી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.