ભાજપથી વિફરીત થયેલા કેતન ઈનામદાર ગૃહમાં બોલવા ઉભા થયા, તો કોંગ્રેસે માર્યો જોરદાર ટોણો

વિધાનસભામા થોડા સમય પહેલા નારાજ થયેલ કેતન ઇનામદાર ગૃહમાં બજેટ મામલે બોલવા ઉભા થયા હતા. ત્યારે કૉંગ્રેસનાં ધારાસભ્યોએ કેતન ઇનામદારને કહ્યું કે, તમારી નારાજગીનું શું થયું. ત્યારે આ આ દરમિયાન વિધાનસભા અધ્યક્ષે કૉંગ્રેસનાં ધારાસભ્યોને કટાક્ષમાં જવાબ આપ્યો હતો કે, કેતનભાઈ લોઇચુંબક જેવા છે. આપનામાંથી કોઈને આ બાજુ લઇ જશે.

કેતન ઈનામદારનો કોંગ્રેસને જવાબ
તો પોતાના વિશે થયેલી ચર્ચા મુદ્દે સાવલીના નારાજ ધારાસભ્ય કેતન ઇનામદારે જવાબ આપ્યો હતો કે, કંઇક મેળવવા માટે જીતેલ મથુરા છોડીને દ્વારકા જવું પડે છે. હું જે સારુ હોય તે સારુ અને ખરાબ હોય તે ખરાબ કહેવા માટે ટેવાયેલ છું.

નીતિન પટેલને લઈને કોંગ્રેસનો કટાક્ષ 
બજેટ સ્પીચ પર કૉંગ્રેસનાં ધારાસભ્ય લલિત કગથરાએ નીતિન પટેલ એકલા હોવાના નિવેદનને લઇને ગૃહમાં કટાક્ષ કર્યો હતો. તેઓએ કહ્યું હતું કે, નીતિનભાઈએ જો લોકઉપયોગી બજેટ આપ્યું હોત તો મે પણ નીતિનભાઈને ટેકો આપત. તેમણે એકલા હોવાની વાત કરી હતી, પણ બજેટ સારુ હોત તૌ અમે તેમણે એકલા ન રહેવા દેત અમે ટેકો આપત.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.