જ્યોતિરાદિત્યએ શિવરાજના કર્યા વખાણ, કોંગ્રેસ પર પ્રહાર, કહ્યું- સિંધિયાને લલકારો તો ચુપ ન રહે

ભારતીય જનતા પાર્ટી (ભાજપ)માં સામેલ થનારા પૂર્વ કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા પ્રથમવાર ભોપાલ પહોંચ્યા હતા. ભોપાલ પહોંચીને તેમણે કાર્યકર્તાઓને સંબોધિત કર્યાં હતા. જ્યોતિરાદિત્ય સિંધિયાએ શિવરાજ સિંહ ચૌહાણની પણ પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે, શિવરાજ સિંહ ત્યારેય ન થાકતા સીએમ રહ્યાં છે.

જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું, ‘મારા માટે આજે ભાવુક દિવસ છે. જે સંગઠન અને જે પરિવારમાં મેં 20 વર્ષ પસાર કર્યાં, મારી મહેનત લગન, મારા સંકલ્પ જેના માટે ખર્ચ કર્યાં, તે બધુ છોડીને હું મને તમારા હવાલે કરુ છું.’

સિંધિયાએ કહ્યું કે, કેટલાક લોકોનો ઈરાદો રાજનીતિ હોય છે, માધ્યમ જનસેવા હોય છે. પરંતુ હું તે દાવા સાથે કહી શકું છું કે અટલ બિહારી વાજપેયી હોય, નરેન્દ્ર મોદી હોય, રાજમાતા હોય, કે સિંધિયા પરિવારના વર્તમાન મુખિયાના નાતે હું, અમારો ઈરાદો હંમેશા જનસેવા રહ્યો છે.

જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું કે, પક્ષ અને વિપક્ષમાં ક્યારેય મતભેદ ન હોવા જોઈએ. શિવરાજ સિંહ હંમેશા જનતાને સમર્પિત અને જનતા પ્રત્યે બધુ ન્યોછાવર કરનારા કાર્યકર્તા લગભગ વિરલા જ રહ્યાં હોય. ઘણા લોકો કહેશે કે સિંધિયા જી આજે કેમ કહી રહ્યાં છે, મેં જાહેરમાં પણ આ વાત કહી છે. હું સંકોચ કરનાર વ્યક્તિ નથી.

જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું કે, શિવરાજ સિંહ ચૌહાણ અને જ્યોતિરાદિત્ય સિંધિયા હવે એક છે. તેથી હવે બે ન થવા જોઈએ. મારૂ લક્ષ્ય હવે પ્રદેશની જનતાનો સાથ મેળવવાનું છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.