કોંગ્રેસની આંતરિક લડાઈ અમને ફાયદો કરાવશે. અમારે 3 કે 4 મત માટે જ વ્યવસ્થા કરવાની છે- નીતિન પટેલ

આગામી 26 માર્ચે ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી યોજાનારી છે. જેને લઇને રાજ્યના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. ભાજપ અને કોંગ્રેસ એકબીજા પર આરોપ-પ્રત્યારોપ કરી રહ્યાં છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોંગ્રેસ શાસિત રાજ્યમાં વ્યાપક અસંતોષ હોવાની વાત કરે છે, ત્યારે રાજ્યસઙાની ચૂંટણીને લઈને ડેપ્યૂટી સીએમ નીતિન પટેલે એક મહેસાણી ભાષામાં પોતાનું તડફડી ભાષામાં પોતાનું નિવેદન આપ્યું છે.

રાજ્યસભાની ચૂંટણીને લઈને ભાજપના ત્રણ ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે, તેઓ વિજય મૂર્હતમાં પોતાની ઉમેદવારી ફોર્મ ભરશે. ત્યારે રાજ્યસભાની ચૂંટણીને લઈને નીતિન પટેલે ફરીથી કોંગ્રેસને આડેહાથ લઈને એક નિવેદન આપ્યું છે. ડેપ્યૂટી સીએમ નીતિન પટેલે દાવો કર્યો હતો કે, કોંગ્રેસ તૂટે છે. કોંગ્રેસમાં આંતરિક અસંતોષ જ અમને જીતાડશે. કોંગ્રેસના ઘણાં ધારાસભ્યો અંદરોઅંદર વિખવાદથી નારાજ છે. એક સાથે 40 ધારાસભ્યોની નારાજગીને કારણે કોંગ્રેસ હાઈકમાન્ડે પોતાના ઉમેદવારો બદલવાના વખત આવ્યો છે.

નીતિન પટેલે વધુમાં જણાવ્યું હતું કે, કોંગ્રેસની નારાજગીથી અમને ફાયદો થશે. મધ્યપ્રદેશની ઘટનાથી કોંગ્રેસ હચમચી ગઈ છે. કોંગ્રેસમાં વિપક્ષના નેતા બદલવાની પણ રજૂઆત થઈ હતી. કોંગ્રેસની આંતરિક લડાઈ અમને ફાયદો કરાવશે. અમારે 3 કે 4 મત માટે જ વ્યવસ્થા કરવાની છે. મધ્યપ્રદેશમાં અમે કઈં નહોતું કર્યુ છતાં મોટો ફેરબદલ જોવા મળી રહ્યો છે. કોંગ્રેસના પાટીદાર ધારાસભ્યોનું કોંગ્રેસે નથી સાંભળ્યું જેના કારણે આ વખત જોવાનો વારો આવ્યો છે. ગુજરાતમાં કોંગ્રેસની અણઆવડત ઉઘાડી પડી ગઈ છે. અમે કોઈનો ભોગ લેતા નથી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.