અયોધ્યામાં નવરાત્રીના પહેલા દિવસે બૂલેટપ્રૂફ મંદિરમાં બીરાજશે રામલલા

સુપ્રીમ કોર્ટે વિવાદીત જમીન રામ મંદિર માટે ફાળવવાના આપેલા ચુકાદા બાદ હવે મંદિરના નિર્માણ માટેનુ રામ મંદિર ટ્રસ્ટ પણ બની ચુક્યુ છે.

મંદિરના નિર્માણ માટે ટ્રસ્ટ દ્વારા સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયામાં ઝીરો બેલેન્સ સાથે એકાઉન્ટ ખોલવામાં આવ્યુ છે. જેમાં ભાવિકો દાન જમા કરાવી શકશે.

એવી પણ ખબર છે કે, રામ નવમીના દિવસે રામજન્મભૂમિ પરિસરમાં પહેલી વખત ભાવિકોને આરતીમાં સામેલ થવાની પરવાનગી મળી શકે છે. રામલલાની મૂર્તિને હાલના સ્થળથી 200 મીટરના અંતરે સ્થાપિત કરવાની વ્યવસ્થા કરાઈ રહી છે. હવે બે દિવસની અંદર ફાઈબરનુ મંદિર ઉભુ થઈ જશે.આ મંદિર બુલેટપ્રૂફ હશે.

20 માર્ચથી અસ્થાયી મંદિરનુ શુધ્ધિકરણ કરાશે. નવરાત્રીના પહેલા દિવસે એટલે કે 25 માર્ચે સવારે ચાર વાગ્યે રામલલા નવા અસ્થાયી મંદિરમાં બીરાજમાન થશે. આ મંદિર તમામ સુવિધાઓથી સજ્જ હશે.જેમાં બે એસી પણ લગાવાશે.

રામ લલા અસ્થાયી મંદિરમાં શિફ્ટ થયા બાદ નવા મંદિર માટે રામજન્મભૂમિ પરિસરને સમતલ કરવાની કામગીરી શરુ થઈ જશે

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.