નિર્ભયાના દોષિતોની ફાંસીને લઈને AAP નેતા કેજરીવાલનું મોટું નિવેદન, કહી દીધી મોટી વાત

નિર્ભયા કેસ(Nirbhaya Case) ના દોષિતોને ફાંસીની સજા મળ્યા બાદ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે, નિર્ભયાને ન્યાય મળવામાં સાત વર્ષ લાગી ગયા. આજે આપણે લોકોએ નિશ્ચય કરી લેવું જોઈએ કે, આ પ્રકારની ઘટના ફરીથી બનવી ન જોઈએ. આપણે જોયું કે, દોષિતોને અંતિમ સમય સુધી કેવી રીતે કાયદા સાથે રમત રમાઈ રહી છે. આપણી સિસ્ટમમાં અનેક ખામીઓ છે. આપણે તેને સારી કરવાની જરૂર છે.

ઉલ્લેખનીય છે કે, નેશનલ રાજધાનીમાં એક ફિઝીયોથેરાપી વિદ્યાર્થી સાથે ક્રુરતાપૂર્વક દુષ્કર્મ તેમજ હત્યા કરનારા દોષિતોને આખરે સાત વર્ષના લાંબા સમય બાદ શુક્રવારે તિહાર જેલમાં ફાંસી આપવામાં આવી હતી. ગુનામાં સામેલ દોષિતો વિનય શર્મા, અક્ષય ઠાકુર, મુકેશ સિંહ અને પવન ગુપ્તાએ 16 ડિસેમ્બર, 2012ની રાતે કરવામાં આવેલ જઘન્ય અપરાધની કિંમત ચૂકવી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.