નરેન્દ્ર મોદી live- 21 દિવસનું લોકડાઉન લાંબો સમય છે, પરંતુ તમારા માટે અને તમારા પરિવાર માટે જરૂરી છે. 

દેશમાં સતત વધી રહેલા કોરોના વાયરસનાં કેસોની વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી  દેશને સંબોધિત કરી રહ્યા છે. આ પહેલા 19 માર્ચનાં પીએમ મોદીએ દેશને સંબોધિત કર્યો હતો અને જનતા કર્ફ્યૂની જાહેરાત કરી હતી. પીએમ મોદીનાં દેશનાં નામે સંબોધનની તમામ અપડેટ માટે જોડાયેલા રહો અમારી સાથે.

  • 21 દિવસનું લોકડાઉન લાંબો સમય છે, પરંતુ તમારા માટે અને તમારા પરિવાર માટે જરૂરી છે.
  • અફવા અને અંધ વિશ્વાસથી બચો. કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને મેડિકલ ફેકલ્ટી દ્વારા આપવામાં આવેલી સૂચનાઓનું પાલન કરો. ડૉક્ટરની સલાહ વગર દવા ના લો.
  • તમામ રાજ્ય સરકારો સાથે વાત કરી છે કે અત્યારે સૌથી પહેલી પ્રાથમિકતા સ્વાસ્થ્ય સુવિધા હોવી જોઇએ.
  • કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો ઝડપથી કામ કરી રહી છે. જરૂરી વસ્તુઓનો સપ્લાય કરવામાં આવશે. ગરીબોને ઓછી તકલીફ પડે એ માટે અનેક લોકો સાથે આવી રહ્યા છે.
  • ડૉક્ટરો, નર્સો, પેરામેડિકલ સ્ટાફ માટે પ્રાર્થના કરો જેઓ સેનેટાઇઝ કરવાનાં કામમાં લાગ્યા છે. તમને 24 કલાક જાણકારી આપવા માટે કામ કરી રહેલા મીડિયાકર્મીઓ, પોલીસ કર્મચારીઓ માટે પ્રાર્થના કરો જેઓ દિવસ-રાત ડ્યૂટી કરી રહ્યા છે.
  • પીએમ મોદીએ કહ્યું કે – ભારત એ સ્ટેજ પર છે કે આપણી એક્શનથી નક્કી થશે કે ભારત આ મહામારીને કેટલું રોકી શકે છે. આ સમય છે આપણા સંકલ્પને મજબૂત કરવાનો. તમારે યાદ રાખવાનું છે કે જાન હૈ તો જહાન હૈ. સમય સંકલ્પને મજબૂત કરવાનો છે.
  • પીએમ મોદીએ કહ્યું કે – અમેરિકા, ચીન, ઇટાલીની સ્વાસ્થ્ય સુવિધાઓ ઘણી સારી, છતા ના રોકી શક્યા. કોરોનાને રોકવાનું આશાનું કારણ આ દેશોને મળેલા અનુભવોમાંથી છે જ્યારે આ કેટલાક દેશો તેને નિયંત્રિત કરી શક્યા.  આ દેશનાં લોકોએ સરકારી નિર્દેશોનું પાલન કર્યું.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.