વરસાદે લાવ્યા ખેડૂતોની આંખમાં આંસુ, વરસાદના લીધે લીલા દુષ્કાળની સ્થિતિ સર્જાઇ

વરસાદને લીધે લીલા દુષ્કાળની સ્થિતિ, મગફળી, અડદ, કપાસ, તલના પાકને પારાવાર નુકસાન

સતત વરસી રહેલા વરસાદના કારણે સૌરાષ્ટ્રમાં ઉભા પાક પાણીમાં ગરકાવ

સૌરાષ્ટ્રમાં ભારે વરસાદના કારણે ખેતરમાં ઉભા પાક ધોવાયા છે. સૌરાષ્ટ્રના વરસાદે લીલા દુષ્કાળની સ્થિતિ સર્જી છે. સૌરાષ્ટ્રમાં મગફળી બાદ અડદ, કપાસ, તલનાપાકને પણ પારાવાર નુકશાન થયું છે. આ મામલે સરકાર ઍક્શનમાં પણ છે. આજે કૃષિ મંત્રી આર.સી. ફળદુએ જાહેરાત કરી છે કે સરકાર ત્રણ ઍજન્સી પાસે સરવે કરાવી અને પાકની નુકશાનીનો ચિતાર મેળવશે.

કૃષિ મંત્રી આ મામલે જણાવ્યું હતું કે ‘ ગુજરાતના ચારેય ખુણામાં ખૂબ સારો વરસાદ થયો છે. ઇશ્વરની કૃપા છે. લગભગ 128 ટકા વરસાદ થયો છે. એ વાત સાચી છે કે કેટલાક વિસ્તારોમાં અતિવૃષ્ટી થઈ છે. લગભગ ચાર વીમા કંપની છે તેમને સૂચના આપવામાં આવી છે કે સરવે કરે. ખેડૂતોના ખરીફ પાકોને નુકશાન થયું છે. જે ખેડૂતોએ પાક વીમાના પ્રિમિયમ ભર્યા છે તેમને વળતર ચુકવવામાં આવે તેવી સૂચના આપવામાં આવી છે.’

ઉત્તર ગુજરાતમાં પણ વરસાદના કારણે નુકશાનીના દૃશ્યો સામે આવી રહ્યા છે ભાર વરસાદના કારણે બનાસકાંઠાના અનેક ગામોમાં ખેતરો પાણીમાં ગરકાવ છે. બનાસકાંઠામાં કપાસ, બાજરી, જુવારના પાકને નુકસાની છે. સતત વરસાદથી પાકને નુકસાની થવાની ભીતિ છે. જિલ્લાના યાત્રા, રડકા, રૂની, સુઈ ગામના ખેડૂતોને નુકશાની થઈ છે.

પાટણ : પાટણમાં પણ લીલા દુષ્કાળની સ્થિતિ છે. ખેડૂતોનું કહેવું છે કે કપાસ, એરંડા, કઠોળને નુકશાની છે. ખેડૂતોએ માંગણી કરી હતી કે સરકાર કઈ વળતર આપે તો જ નુકશાનીને પહોંચી વળાય તેમ છે. સરકારે ત્વરીત ઘાસચારાની વ્યવસ્થા પણ કરવી પડે તેવી સ્થિતિ છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.