લોકડાઉનમા મજબૂરીનો ફાયદો ઉઠાવતા અનાજ માફિયા ,નડિયાદમાં ગરીબોનું અનાજ વેચવાનું કૌભાંડ

ખેડા જિલ્લાના નડિયાદ ખાતે સરકારી ગોડાઉનમાંથી અનાજનો જથ્થો ચોરીને કાળા બજાર કરવાનું રેકેટ બહાર આવ્યું છે. પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

અનાજ માફિયા લોક ડાઉનલોડમા મજબૂરીનો લાભ ઉઠાવીનેઅવાવરૂ સ્થળે આવેલા સરકારી ગોડાઉનમાંથી અનાજનો જથ્થો ચોરતા હતા અને બ્રાન્ડેડ માર્કો મારીને બારોબાર વેચાણ કરતા હોવાનું બહાર આવ્યું છે.

પોલીસે રૂ. 3.09 લાખનો મુદ્દામાલ કબજે કરીને ત્રણની ધરપકડ કરી છે. અનાજ કૌભાંડની માહિતી નડિયાદના DySP જી.એસ.શ્યાન એ આપી હતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.