આવતીકાલે ગાંધીજયંતી પર પીએમ મોદી અમદાવાદમાં, સાંજે આ રસ્તો રહેશે બંધ

આવતીકાલે 2જી ઓક્ટોબરે (2nd October) ગાંધીજીની જન્મજયંતિ (Gandhi Jayanti) નિમિત્તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi) ગુજરાતના ત્રણ કલાકના પ્રવાસે આવશે. સાંજે 6 વાગ્યાની આસાપાસ વડાપ્રધાન અમદાવાદ (Ahmedabad) એરપોર્ટ ખાતે આગમન કરશે. જ્યારે અડધો કલાક સાબરમતી આશ્રમ (Sabarmati Ashram)માં વિતાવીને રિવરફ્રન્ટ (Riverfront) ખાતે યોજાનારા સરપંચ સંમેલન (Sarpanch Sammelan)માં ઉપસ્થિત રહેશે. રાત્રે 9 વાગ્યાની આસપાસ અમદાવાદ એરપોર્ટ (Ahmedabad Airport) પરથી દિલ્હી (Delhi) જવા રવાના થશે.

અમદાવાદ :આવતીકાલે 2જી ઓક્ટોબરે (2nd October) ગાંધીજીની જન્મજયંતિ (Gandhi Jayanti) નિમિત્તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi) ગુજરાતના ત્રણ કલાકના પ્રવાસે આવશે. સાંજે 6 વાગ્યાની આસાપાસ વડાપ્રધાન અમદાવાદ (Ahmedabad) એરપોર્ટ ખાતે આગમન કરશે. જ્યારે અડધો કલાક સાબરમતી આશ્રમ (Sabarmati Ashram)માં વિતાવીને રિવરફ્રન્ટ (Riverfront) ખાતે યોજાનારા સરપંચ સંમેલન (Sarpanch Sammelan)માં ઉપસ્થિત રહેશે. રાત્રે 9 વાગ્યાની આસપાસ અમદાવાદ એરપોર્ટ (Ahmedabad Airport) પરથી દિલ્હી (Delhi) જવા રવાના થશે.

2 જી ઓક્ટોબરે ગાંધીજીની જન્મજયંતીની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે અમદાવાદમાં સાબરમતી આશ્રમ પાસે દેશભરના સરપંચો માટે સંમેલનનું આયોજન કરાયું છે. જેમાં દેશના દરેક રાજ્યોમાંથી 20 હજાર જેટલા સરપંચો આવશે. જેમાંથી 10,000 સરપંચ ગુજરાતના હશે. અન્ય રાજ્યોના સરપંચો આ સંમેલનમાં ભાગ લેશે. તેઓ ત્રણ દિવસ ગુજરાતમાં સરપંચ રોકાશે. ત્યારે આવતીકાલે 2 ઓક્ટોબરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતમાં સરપંચોના સંમેલનમાં આ મુદ્દે વાત કરશે. આ પ્રસંગે ગાંધીજીની 150મી જન્મજયંતિએ સમગ્ર દેશ ખુલ્લામાં શૌચમુક્ત હોવાની જાહેરાત પણ કરવામાં આવશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.