મુખ્યમંત્રીઓ સાથે PM મોદીની બેઠકમાં કેજરીવાલે લોકડાઉન લંબાવવાની કરી માગ

પીએમ મોદીએ માગ્યા સૂચનો

મુખ્યમંત્રીઓ સાથેની બેઠક આજે સવારે 11 વાગ્યાથી શરૂ થઈ ગઈ છે. આ બેઠકમાં પીએમ મોદીએ કોરોના વાઈરસની વર્તમાન પરિસ્થિતિને લઈને ચર્ચા કરી છે. સાથે જ કોરોના વાઈરસથી છુટકારો મેળવવા રાજ્યો પાસે સૂચનો માગ્યા છે. પીએમ મોદીએ મુખ્યમંત્રીઓને કહ્યુ કે આપ સૌ પાસે 24*7 છે. આ બેઠકમાં સ્વાસ્થ્ય મંત્રાલયે કોરોના વાઈરસે લઈને પ્રેઝન્ટેશન પણ આપ્યુ.

કેજરીવાલે લોકડાઉન લંબાવવાની કરી માગ

દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે આ બેઠકમાં 30 એપ્રિલ સુધી લોકડાઉન લંબાવવાની માગ કરી છે. સીએમ કેજરીવાલે કહ્યુ કે લોકડાઉન વધારવાનો નિર્ણય

રાષ્ટ્રીય સ્તરે હોવો જોઈએ. રાજ્ય પોતાના સ્તરે નિર્ણય કરશે તો તેટલી અસર નહીં થાય. કોઈક પ્રકારની ઢીલ આપવામાં આવે તો કોઈ પણ ભોગે ટ્રાન્સપોર્ટ ખુલવો જોઈએ નહીં. ના ટ્રેન, ના માર્ગ અને ના એર ટ્રાન્સપોર્ટ.

કોરોના સંકટને જોતા 24 માર્ચે દેશમાં 21 દિવસનું લૉકડાઉનનુ એલાન કરાયુ હતુ. 25 માર્ચથી શરૂ થયેલા દેશવ્યાપી લોકડાઉનનો છેલ્લો દિવસ 14 એપ્રિલ છે. લોકડાઉનના દેશમાં કોરોના દર્દીઓની સંખ્યા ઝડપથી વધી રહી છે. સરકાર લોકડાઉન વધારવા પર વિચાર કરી રહી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.