માછીમારોને આજથી દરિયામાં જવાની છૂટ, રૂપાણી સરકારે લીધો મોટો નિર્ણય

રાજ્યમાં કોરોના વાયરસ ના સંક્રમણના કારણે રાષ્ટ્રીય લૉકડાઉન  લાગુ છે ત્યારે ગુજરાત સરકારે  દ્વારા રાષ્ટ્રીય લૉકડાઉનમાંથી માછીમારો ને છૂટછાટ આપવામાં આવી છે. ગુજરાત સરકારે આજથી દરિયો ખેડવાની છૂટ આપવામાં આવી છે. માછીમારો આજથી દરિયામાં જઈ શકશે. માછલી તેમજ ઝીંગાની હેરફેર માટે પણ સરકારે પરવાનગી આપી દીધી છે.

અશ્વીની કુમારે જણાવ્યું રાજ્યમાં ગંગાસ્વરૂપ જે બહેનો છે તેમના માટે સરકારે મોટો નિર્ણય કર્યો છે. ભારત સરકારના નિર્ણય મુજબ આ બહેનોને સરકાર તરફથી એપ્રિલ- મે દરમિયાન 500 રૂપિયાનો હપ્તો આપવામાં આવશે. આ બહેનોના એકાઉન્ટમાં ભારત સરકાર તેમજ રાજ્ય સરકાર તરફથી પૈસા જમા કરાવવામાં આવશે.

અશ્વીની કુમારે પ્રેસ કૉન્ફરન્સમાં જણાવ્યું કે પ્રાંતિજમાંથી સસ્તા અનાજનું જે વિતરણ કરવામાં આવી રહ્યું છે તેમાં અમુક અસામાજિક તત્વો સમગ્ર પ્રક્રિયાને ડિસ્ટર્બ કરવામાં આવે છે. આ અનાજ અંગે એક કૌભાંડ ઝડપાયું છે. સાત લોકોની આ કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી છે અને તેમને રાજ્યની જુદી જુદી જેલમાં મોકલી આપવામાં આવ્યા છે. આ ઘટના 6 એપ્રિલની છે, ટ્રકમાં માલ ભરીને જઈ રહેલા વ્યક્તિને ઝડપવામાં આવ્યા હતા.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.