ગુજરાતના 27 જિલ્લામાં કોરોના ની હાજરી, 6 જિલ્લા હજુ કોરોનારહિત

– અમદાવાદમાં કેસ 1 હજારને પાર, દેશનો બીજો જિલ્લો

– ગુજરાતમાં કોરોનાના 87.11% કેસ માત્ર અમદાવાદ-વડોદરા-સુરતમાંથી નોંધાયા

ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. રાજ્યના 27 જિલ્લામાં કોરોનાના 2066 કેસ નોંધાયા છે જ્યારે હજુ 6 જિલ્લા એવા છે જ્યાં કોરોના પગપેસારો કરવામાં નિષ્ફળ રહ્યું છે.

ગુજરાતના જે 6 જિલ્લામાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી તેમાં દક્ષિણ ગુજરાતમાંથી વલસાડ-તાપી- નવસારી-ડાંગ, સૌરાષ્ટ્રમાંથી સુરેન્દ્રનગર-જુનાગઢ-દેવભૂમિ દ્વારકા-અમરેલીનો સમાવેશ થાય છે. આ 6 જિલ્લાઓમાં હજુ સુધી કોવિડ-૧૯ના કુલ ૧૭૩૧ના ટેસ્ટ કરાયા છે. બીજી તરફ ગુજરાતમાં અમદાવાદ કોરોના મામલે ‘એપિસેન્ટર’ બની ગયું છે. ગુજરાતમાં નોંધાયેલા કુલ કેસના ૬૩.૧૧% માત્ર અમદાવાદમાંથી નોંધાયા છે. આ સિવાય સુરતમાંથી ૧૪.૦૬%, વડોદરામાંથી ૧૦.૦૪% કેસ નોંધાયા છે. આમ, ગુજરાતમાં કોરોનાના ૮૭.૧૧% કેસ માત્ર અમદાવાદ-સુરત અને વડોદારમાંથી જ નોંધાયા છે તેમ કહી શકાય.

એક જ જિલ્લામાં ૧ હજારથી વધુ કેસ નોંધાયા હોય તેવું અમદાવાદ બીજું છે. અગાઉ  મુંબઇમાંથી સૌથી વધુ ૨૨૬૮ કેસ નોંધાયા હતા. અમદાવાદમાં આજે કોરોનાના નવા  કેસ ઉમેરાયા હતા.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.