ખુશખબર, ગોવા બાદ દેશનુ આ રાજ્ય પણ થયુ કોરોના મુક્ત

ગોવા બાદ દેશનું બીજુ એક રાજ્ય પણ કોરોનાથી મુકત થયુ છે.

મોટા રાજ્યો કોરોના સામે ઝઝૂમી રહ્યા છે ત્યારે પ્રમાણમાં નાના રાજ્યો કોરોના સામેની લડાઈ સફળતાપૂર્વક લડી રહ્યા છે. મણીપુરના મુખ્યમંત્રી એસ બીરેન સિેહે જાણકારી આપતા કહ્યુ હતુ કે, મને એ વાતની ખુશી છે કે, મણીપુર કોરોનાથી મુક્ત થઈ ગયુ છે. અહીંના તમામ દર્દીઓ સાજા થઈ ગયા છે. તેમના રિપોર્ટ પણ નેગેટિવ આવ્યા છે. હવે નવો કોઈ દર્દી પણ સામે આવ્યો નથી.

મણિપુરમાં કોરોનાના બે દર્દીઓ સામે આવ્યા હતા.જેમાં 23 વર્ષની એક મહિલા બ્રિટનથી પાછી ફરી હતી. 65 વર્ષનો એક દર્દી તબલિગી જમાતના કાર્યક્રમાંથી પાછો ફરીને આવ્યો હતો.

જોકે એ પછી મણીપુરમાં કોરોના વાયરસ ફેલાયો નહોતો. આ બંને દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપી દેવાઈ છે.

આ પહેલા ગોવાના મુખ્યમંત્રીએ પણ આવી જાહેરાત કરી હતી.ગોવામાં પણ કોરોનાના સાત કેસ સામે આવ્યા હતા. તમામને રજા આપી દેવાઈ છે. હવે ગોવામાં કોઈ કેસ નથી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.