૩જી મે પછી શું હશે લોકડાઉન ની સ્થિતિ? સરકાર ની લોકડાઉન ના સંદર્ભે આ છે ચોક્કસ યોજના

મિત્રો, હાલ આપણા દેશ મા દિન-પ્રતિદિન કોરોના વાઇરસ ના કેસ વધી રહ્યા છે ત્યારે કોરોના ની આ સમસ્યા ને અટકાવવા માટે વડાપ્રધાન મોદીજીએ સમગ્ર દેશમા લોકડાઉન ૩ મે સુધી લંબાવ્યુ. લોકડાઉન હાલ ૨૦ તારીખ બાદ અમુક શરતો સાથે હળવુ કરવામા આવી રહ્યુ છે ત્યારે જો આ તમામ સરકારી સ્ત્રોતો ની વાત માનીએ તો કેન્દ્ર સરકાર ૩ મે બાદ પણ લોકડાઉન નુ દબાણ હટાવવા ના મૂડ મા નથી.

હાલ લોકડાઉન પૂર્ણ થયા બાદની યોજના પણ તૈયાર કરવામા આવી રહી છે. મીડિયા થી પ્રાપ્ત થતા એક અહેવાલ મુજબ, 3 મે બાદ લોકડાઉન ધીમે-ધીમે દૂર કરવામા આવશે અને અમુક શરતો સાથે વધારે છૂટછાટ આપવામા આવશે. જો કે રેડ અને ઓરેન્જ ઝોનવાળા વિસ્તારો ને હાલ કોઈ જ પ્રકાર ની છૂટછાટ મળશે નહી. કોરોના ની સમસ્યા નુ નિવારણ મળ્યા બાદ જ લોકડાઉન ની સંપૂર્ણ અસરો દૂર થશે.

મીડિયા થી પ્રાપ્ત થતા અહેવાલો મુજબ લોકડાઉન બાદ સરકારે આવુ કઈક આયોજન તૈયાર કર્યુ છે, જેમા ૩ મે બાદ પણ ટ્રેન અથવા વિમાન ની મુસાફરી તો મુશ્કેલ છે કારણ કે, આ અંગે હજુ સુધી કોઈ નિર્ણય લેવામા આવ્યો નથી. ગ્રીન ઝોનવાળા વિસ્તારો મા શહેરમા ફક્ત અવરજવર માટે મંજૂરી આપવામા આવશે. સામાજિક અંતર અને માસ્ક લોકો ની રોજિંદી જીવનશૈલી નો એક ભાગ રહેશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.