છેલ્લા 24 કલાકમાં 5 હજારથી વધારે કોરોના પોઝિટિવ કેસ નોંધાયા, કુલ કન્ફર્મ કેસ 96,169

 અત્યાર સુધીમાં 3,049 લોકોના મોત, 36 હજારથી વધુ દર્દીઓ સાજા થયા

– ગુજરાતમાં કોરોના સંક્રમિત લોકોનો આંકડો 11,379 સુધી પહોંચ્યો

 

દેશમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 96 હજારને પાર પહોંચી ગઇ છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 5 હજારથી વધારે નવા કેસ સામે આવ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા સોમવારે સવારે જાહેર થનાર અપડેટ અનુસાર, હાલ દેશમાં કુલ કન્ફર્મ કેસની સંખ્યા 96,169 છે. તેમાંથી 3,049 લોકોના મૃત્યુ થયા છે અને 36 હજારથી વધારે દર્દીઓ સાજા થઇ ચુક્યા છે.

હાલ દેશમાં 56,316 એક્ટિવ કેસ છે. મહારાષ્ટ્રમાં કોરોના કહેર સૌથી વધારે છે. અહીં દર્દીઓની સંખ્યા 33 હજારને પાર પહોંચી ગઇ છે. મૃત્યુ પામનાર લોકોની સંખ્યા પણ 1198 સુધી પહોંચી ચુકી છે. ત્યારે ગુજરાતમાં કોરોના પોઝિટિવ કેસનો આંકડો 11,379 સુધી પહોંચી ચુક્યો છે, જ્યારે મૃત્યુ પામનાર લોકોની સંખ્યા 659 છે.

તમિલનાડુમાં પણ ઝડપથી કોરોના સંક્રમણ વધી રહ્યુ છે. અત્યાર સુધીમાં અહીં 11,224 કેસ પોઝિટિવ નોંધાયા છે, જેમાંથી 78 લોકોના મૃત્યુ થયા છે. ત્યારે દિલ્હીમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા 10 હજારને પાર કરી ચુકી છે. મંત્રાલયના અપડેટ અનુસાર, દિલ્હીમાં કુલ દર્દીઓની સંખ્યા 10,054 છે, જેમાંથી 160 લોકોના મૃત્યુ થઇ ગયા છે.

રાજસ્થાનમાં અત્યાર સુધીમાં 5,202 કન્ફર્મ કેસ સામે આવ્યા છે, જેમાંથી 131 લોકોના મૃત્યુ થયા છે. મધ્ય પ્રદેશમાં અત્યાર સુધીમાં 4977 કેસ સામે આવી ચુક્યા છે, જેમાંથી 248 લોકોના મૃત્યુ થયા છે. ઉત્તર પ્રદેશમાં પણ કોરોના દર્દીની સંખ્યામાં વધારો નોંધાયો છે. હાલ અહીં દર્દીઓની સંખ્યા 4259 પહોંચી ચુકી છે, જેમાંથી 238 લોકો મૃત્યુ પામ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.