અમદાવાદ સિવિલની વઘુ એક બેદરકારી આવી સામે,કોરોનાના દર્દીને રજા આપી અડધે રસ્તે રખડતો કરી દીધો

{"source_sid":"9B8E2014-C3CC-4387-ABD9-983628308035_1590839210379","subsource":"done_button","uid":"9B8E2014-C3CC-4387-ABD9-983628308035_1590839210354","source":"other","origin":"gallery"}

ગુજરાતમાં કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે અને એમાંય અમદાવાદમાં કોરોનાએ માઝા મૂકી છે. આ રોગચાળો ભલભલાને પોતાના ઝપેટમાં લઈ રહ્યો છે ત્યારે સરકારી હોસ્પિટલો હજુ સુધરવાનું નામ નથી લેતી. અમદાવાદ સિવિલ હોસ્પિટલની વધુ એક બેદરકારી સામે આવી છે. ખુદ સિવિલ હોસ્પિટલમાં કામ કરનારા રિટાર્યડ વ્યક્તિને અડધે રસ્તે ઉતારીને સિવિલની બસ જતી રહી એટલું જ નહીં ઘરે આવતા જ તબિયત લથડતા ફરીથી દાખલ કરવા

  • અમદાવાદ સિવિલ હોસ્પિટલની ફરી બેદરકારી આવી સામે 
  • ડિસ્ચાર્જ કરવાની ઉતાવળ મા કોરોના  દર્દીને બસ મા બેસાડી દીધા 
  • ઘરે પહોંચતા તબિયત બગડતા દર્દી ને ફરી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા 

અમદાવાદ સિવિલ હોસ્પિટલની ફરી બેદરકારી સામે આવી છે. ડિસ્ચાર્જ કરવાની ઉતાવળમાં કોરોના દર્દીને બસમાં બેસાડી દીધા અને ઘરને બદલે અડધા રસ્તે જ ઉતારી દીધા હતા.
ઘરે પહોંચતા તબિયત બગડતા દર્દી ને ફરી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા. દાણીલીમડા ના રતિલાલ શ્રીમાળી 20 દિવસથી સિવિલમા સારવાર લઈ રહયા હતા. સિવિલ હોસ્પિટલની બસ દ્વારા દાણીલીમડા ની જગ્યા એ ખોખરા ઉતારી દેવતા તબિયત લથડી હતી. રતિલાલ સિવિલ હોસ્પિટલમાં જ કામ કરતા હતા અને હાલ નિવૃત થઈ ગયા હતા.

રતિલાલના દીકરા નવીનને બસ ડ્રાઈવરનો નંબર મળ્યો અને તેમની બસના ચાલક સાથે વાત થઈ. બસ ચાલકે નવીનભાઈને કહ્યું કે 2 કલાક બાદ રતિલાલને અમે દાણીલીમડા મુકવા આવીએ છીએ પણ ખોખરા આવ્યા બાદ ડ્રાઈવરે નવીનભાઈને કહ્યું કે આગળ રસ્તા બંધ છે તમારે જાતે જ એમને લઈ જવા પડશે.

આ સમગ્ર બનાવ અંગે નવીનભાઈએ  જણાવ્યું કે મારા પિતાને ખોખરા ઉતારી દેવામાં આવ્યા હું જેમ તેમ કરીને તેમને લેવા ગયો હતો. તેમેન ઘરે લઈને અવ્યો તો તેમની તબિયત ખૂબ જ ખરાબ હતી તેઓ શ્વાસ લઈ શકતા ન હતા. જેથી 108માં લઈ જઈ તેમને ફરી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.