શાળાઓમાં શિક્ષકોની 10,200 ખાલી જગ્યાની ભરતી હાથ ધરવાની કોંગ્રેસની સરકારને અપીલ

રાજ્યની સરકારી-ગ્રાન્ટેડ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં આશરે 10,200 જગ્યાઓ પર ભરતી હાથ ધરવા માટે ડીસેમ્બર-2019માં જાહેરાત કરી ભરતી હાથ ધરવામાં આવી હતી, પણ આ ભરતી પ્રોવિઝનલ મેરીટ યાદી જાહેર થયા પછી અટકી ગઇ છે. આ અટકાવાયેલી 10,200 શિક્ષકોની ભરતી તાત્કાલિક હાથ ધરવા કોંગ્રેસના પ્રદેશ પ્રવકત્તા ડો. મનિષ દોશીએ માગ કરી છે. ભરતી બોર્ડ દ્વારા ફોર્મ ભરાવીને સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા માટેનું પ્રોવિઝનલ મેરીટ લીસ્ટ-૧ બહાર પાડીને ડોક્યુમેન્ટ વેરિફિકેશન પણ થઈ ગયેલ છે તથા સરકારી માધ્યમિક શાળાનું પ્રોવિઝનલ મેરીટ લીસ્ટ-૧ જાહેર કરાયું છે.આ પછી એકાએક ભરતી પ્રક્રિયા અટકી જતા તેને હાથ ધરવાની માગણી કોંગ્રેસના પ્રદેશ પ્રવકત્તાએ કરી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.