ધાર્મિક સ્થળોને ખોલવા પર ક્રિકેટર આકાશ ચોપડાએ ઉઠાવેલા સવાલથી થઈ ગયો ટ્રોલ

પૂર્વ ભારતીય ક્રિકેટર આકાશ ચોપડા શનિવારે તે સમયે ટ્રોલ થઈ ગયો, જ્યારે તેણે લૉકડાઉનની સાથે ધાર્મિક સ્થળો ખોલવા પર ટ્વીટ કર્યું હતું. કોવિડ-19 મહામારીથી બચાવ માટે દેશભરમાં છેલ્લા બે મહિનાથી લાગૂ લૉકડાઉનને ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે અને કેન્દ્ર સરકારે તેને અનલોક નામ આપ્યું છે.

8 જૂને શરૂ થનાર પ્રથમ તબક્કો અનલોક 1 હશે, જેમાં રેસ્ટોરન્ટ, હોટલ, મોલ, શોપિંગ સેન્ટર અને ધાર્મિક સ્થળોને ખોલવાની મંજૂરી આપવામાં આવી છે. કેન્દ્ર સરકારની આ જાહેરાત બાદ આકાશ ચોપડાએ પોતાના ટ્વીટમાં ધાર્મિક સ્થળોને ખોલવા પર સવાલ ઉઠાવ્યા હતા. ત્યારબાદ તે ટ્રોલ થઈ ગયો હતો.

કોમેન્ટ્રીમાં જાણીતું નામ 42 વર્ષના આકાશ ચોપડાએ ટ્વીટ કર્યુ, ‘મોલ, રેસ્ટોરન્ટ વગેરે.. આ નાણાકીય જરૂરીયાત માટે જરૂરી છે… અને તેથી તેને હંમેશા માટે બંધ રાખવા સંભવ નથી પરંતુ આપણે ધાર્મિક સ્થળો ખોલવાની શું જરૂર છે?  ઇશ્વર દરેક જગ્યાએ છે…. કે નથી? તેને આ ટ્વીટ બાદ સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવામાં આવી રહ્યો છે.’

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.