અનલૉક 2 તા.1 જુલાઈ બુધવારથી ગુજરાતમાં દુકાનો રાત્રે 8 વાગ્યા સુધી ચાલુ રખાશે

– હોટલ અને રેસ્ટોરન્ટ પણ રાત્રે 9 વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નિર્ણય કર્યો છે કે આવતીકાલ તારીખ 1લી જુલાઇ બુધવારથી રાત્રે 8 વાગ્યા સુધી દુકાનો ચાલુ રાખી શકાશે તેમજ હોટલ અને રેસ્ટોરન્ટ રાત્રે 9 વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે.

મુખ્યમંત્રીએ એમ પણ જણાવ્યું છે કે ભારત સરકારના દિશા નિર્દેશો અનુસાર સમગ્ર રાજ્યમાં રાત્રે 10 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી કરફ્યુનો અમલ કરવાનો રહેશે.

કેન્દ્ર સરકારે તારીખ 1 જુલાઈથી અનલૉક 2 અંતગર્ત જે નવા દિશા નિર્દેશો આપેલા છે. તેને પગલે મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતમાં દુકાનો અને હોટલ રેસ્ટોરન્ટ માટે આ બે મહત્વપૂર્ણ કર્યા છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.