દેશભરમાં સૌ પ્રથમ પ્લાઝમા બેન્ક બનાવવાનું ગૌરવ ગુજરાતના શિરે, જાણો પ્લાઝમા બેંક વિશે?

ગુજરાત સરકારે પણ પ્લાઝમા અમદાવાદ સિવિલમાં પ્લાઝમા બેન્ક બનાવી છે. સરકારનો દાવો છે કે તેણે દેશભરમાં સૌ પ્રથમ પ્લાઝમા બેન્ક બનાવવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું છે. આ બેન્કમાં અત્યાર સુધીમાં 30 કરતાં વધુ પ્લાઝમા ડોનર દ્વારા રક્તદાન કરવામાં આવ્યું છે જેમાં સિવિલ હોસ્પિટલના ડોક્ટર્સનો પણ સમાવેશ થાય છે.

કોવિડ હોસ્પિટલમાં કોરોનાની સારવાર માટે દાખલ થયેલા દર્દીઓ કે જેઓને તાવ અને કફ જેવા કોવિડના લક્ષણો, RT-PCRથી કોવિડનો પોઝિટીવ રીપોર્ટ હોય તેવા દર્દીઓ જ્યારે રોગમુક્ત થયાના 28 દિવસ પછી અથવા 14 દિવસ પછી 24 કલાકના અંતરે કોવિડના બે RT-PCR નેગેટીવ રીપોર્ટ ધરાવતા હોય તેવા સાજા થયેલાં દર્દીઓની ઉંમર 18થી 65 વર્ષ, વજન 50 કિલોથી વધારે તેમજ હિમોગ્લોબિન 12.05 ટકાથી વધારે હોય તેવા ડોનર પાસેથી ડિપાર્ટમેન્ટ ઑફ ઇમ્યુનોહિમેટોલોજી અને બ્લડ ટ્રાન્સફ્યુઝન (IHBT) દ્વારા પ્લાઝમા લેવામાં આવે છે.

કોરોનાની બીમારીમાંથી સાજા થયેલાં દર્દીના શરીરમાં વાયરસ સામે એન્ટીબોડી ઉત્પન થાય છે. આ એન્ટીબોડી સાજા થયેલાં દર્દીના શરીરમાંથી કાઢીને કોરોનાગ્રસ્ત દર્દીના શરીરમાં દાખલ કરવામાં આવે છે. લોહીમાં રક્તકણો અને તેનો પ્રવાહી ભાગ હોય છે જેને પ્લાઝમા તરીકે ઓળખવામાં આવે છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.