કઈ જવાબો સે અચ્છી હૈ ખામોશી ઉસકી, દુબેના એન્કાઉન્ટર પર રાહુલ ગાંધીએ શાયરી ટાંકી

યુપીના ગેંગસ્ટર વિકાસ દુબેના એન્કાઉન્ટર પર ઘણા સવાલો ઉઠ્યા છે.યુપી પોલીસ આ બાબતે જે જાણકારી આપી રહી છે તે ઘણાને ગળે ઉતરી રહી નથી.

વિપક્ષો પણ સવાલ ઉઠાવી રહ્યા છે.વિપક્ષોનુ કહેવુ છે કે, વિકાસ દુબે ઘણા રાજકીય રહસ્યો જાણતો હતો.માટે તેને ચૂપ કરી દેવાયો છે ત્યારે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ એન્કાઉન્ટરને લઈને કટાક્ષ કર્યો છે.

રાહુલ ગાંધીએ એક શાયરી ટ્વિટ કરીને કહ્યુ છે કે,…

કઈ જવાબો સે અચ્છી હૈ ખામોશી ઉસકી, ન જાને કિતને સવાલો કી આબરુ રખ લી…

રાહુલે બે લીટીની શાયરીમાં ઘણુ કહી દીધુ છે.જોકે એ સિવાય ક્યાંય રાહુલ ગાંધીએ એન્કાઉન્ટર કે વિકાસ દુબેનો ઉલ્લેખ પોતાના ટ્વિટમાં કર્યો નથી.

આ પહેલા પ્રિયંકા ગાંધીએ પણ સવાલ ઉઠાવીને કહ્યુ હતુ કે, અપરાધીનો તો અંત થયો પણ તેને સંરક્ષણ આપનારા લોકોનુ શું.

આ સિવાય અખિલેશ યાદવે પણ માંગ કરી છે કે, વિકાસ દુબેની કોલ ડિટેલ કાઢવામાં આવે જેથી તેના કનેક્શનની અને તેને બચાવનારાઓની જાણકારી મળે.તો માયાવતીએ માંગણી કરી છે કે, એન્કાઉન્ટરની સુપ્રીમ કોર્ટની નજર હેઠળ તપાસ થવી જોઈએ.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.