વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ અમરેલીમાં કરી કોરોના ટેસ્ટિંગ લેબની માંગણી

અમરેલી જિલ્લામાં કોરોનાના કેસમાં રોજબરોજ સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ અમરેલીમાં કોરોના ટેસ્ટિંગ લેબની માંગણી કરી છે. જો બે દિવસમાં અમરેલીમાં કોરોના ટેસ્ટિંગ લેબની માગ પુરી નહીં થાય તો વિપક્ષ નેતા પરેશ ધાનાણી રવિવારે ધરણાં કરશે. આ સિવાય સાવરકુંડલા હોસ્પિટલને અપગ્રેડ કરવાની માંગણી પણ ધાનાણીએ કરી છે. તેમણે ઉમેર્યું હતું કે અહીં સુરતથી દર્દીઓનો આવી રહ્યા છે. બે દિવસમાં લેબ ન મળે તો ધરણાં કરાશે.

કોંગ્રેસના પરેશ ધાનાણીએ નિવેદન આપતા જણાવ્યું હતું કે પહેલા સુરતથી અમરેલી પેસેન્જર આવતા હતા અને હવે સુરતથી પેસન્ટ આવે છે. જેથી રાજુલા-સાવરકુંડલાની હોસ્પિટલને અપગ્રેડ કરવામાં આવે. એટલું જ નહીં, ધાનાણીએ સરકાર પર આરોપ નાંખતા જણાવ્યું હતું કે ગુજરાત સરકાર અમરેલીને કોરોના ટેસ્ટીંગ લેબ આપવામાં ઓરમાયુ વર્તન કરી રહી છે. જેથી 2 દિવસમાં કોરોના લેબ ફાળવવામાં નહિં આવે તો રવિવારે ધરણાં કરવામાં આવશે. આ સાથે જ કહ્યું કે જો તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં નહિં આવે તો આગામી એક અઠવાડિયામાં અમરેલીની હોસ્પિટલ કોરોનાના દર્દીઓથી છલકાઈ જશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોનાના મામલે અમરેલી જિલ્લામાં અત્યાર સુધીમાં 131 કેસ પોઝિટિવ નોંધાયા છે. એક સમયે અમરેલી જિલ્લામાં એક પણ કેસ ન હતો. પરંતુ આજે અમરેલી પંથકમાં કોરોનાએ ગતિ પકડી છે અને અટકવાનું નામ લેતી નથી. શરૂઆતના તબક્કામાં દરરોજ 1-2 કેસ નોંધાતા હતા. પણ છેલ્લા કેટલાક સમયથી દરરોજ 8-10 કેસ સામે આવી રહ્યાં છે. જે ખુબ જ ચિંતાનો વિષય છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.