હવે તો માત્ર ભગવાન જ બચાવી શકશે, કર્ણાટકના આરોગ્ય મંત્રી કોરોના સામેના જંગમાં હાંફી ગયા

ભારતમાં કોરોનાના વધતા જતા સંક્રમણ સામે લડવામાં મોટાભાગના રાજ્યોની સરકારો હાંફી રહી છે.

આવામાં કર્ણાટક રાજ્યના સ્વાસ્થ્ય મંત્રી બી શ્રીરામુલુએ તો ચોંકાવનારુ નિવેદન આપતા કહ્યુ છે કે, હવે માત્ર ભગવાન જ આપણને બચાવી શકશે.

રાજ્યમાં સતત વધી રહેલા કોરોનાના દર્દીઓના મુદ્દે થઈ રહેલી ટીકા અંગે તેમણે કહ્યુ હતુ કે, વાયરસને ફેલાતો રોકવાનુ કોઈના હાથની વાત નથી..કર્ણાટકમાં કોરોનાના દર્દીઓની સંખ્યા 50000 સુધી પહોંચી ચુકી છે.900 લોકોના મોત થયા છે.

આ સંજોગોમાં આરોગ્ય મત્રી બી શ્રીરામુલુએ કહ્યુ હતુ કે, હવે ભગવાન જ આપણને બચાવી શકશે.આપણે જાતે જ આપણુ ધ્યાન રાખવુ પડશે.કોરોનાન કેસ દુનિયાભરમાં વધી રહ્યા છે.વાયરસ ગરીબ અને  ધનિક વચ્ચે કોઈ ભેદભાવ કરતો નથી, નથી તે ધર્મ કે જાતી જોતો,કોરોના કેસમાં 100 ટકા વધારો થવાનુ નક્કી જ છે.

આ નિવેદન પર વિવાદ શરુ થયા બાદ બી શ્રીરામુલુએ કહ્યુ હતુ કે, મંત્રીઓ અને સરકારની ટીકા કરવી યોગ્ય નથી.આવા સમયમાં કોણ આપણને બચાવી શકે છે, કાં તો ભગવાન અથવા તો લોકોની પોતાની તકેદારી

તેમણે કોંગ્રેસ પર રાજનીતિ કરવાનો આરોપ લગાવીને કહ્યુ હતુ કે, આ બહુ મુશ્કેલ સમય છે અને મારી કોંગ્રેસના નેતાઓને વિનંતી છે કે, આ મુદ્દા પર બેકાર વાતો કરીને લોકોની પરેશાની વધારો નહીં.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.