અમિત શાહ સામે ચૂંટણી લડનાર ફિરોઝખાન મહાનગરપાલિકાની ચૂંટણી નહીં લડી શકે

ગુજરાતની લોકસભા ચૂંટણીમાં ભાજપના અધ્યક્ષ અમિત શાહ સામે અપક્ષ ઉમેદવારી નોંધાવનાર ફિરોઝખાન પઠાણ હવે મહાનગરપાલિકાની ચૂંટણી નહીં લડી શકે.

2019ની લોકસભા ચૂંટણીમાં ગાંધીનગર લોકસભાની બેઠક પરથી ફિરોઝખાન પઠાણને 1200 મત મળ્યા હતા. આ બેઠક પરથી ભાજપના ઉમેદવાર અમિત શાહનો વિજય થયો હતો.

2002નાં રમખાણોમાં ટોળાએ અમદાવાદમાં આવેલી ગુલબર્ગ સોસાયટી પર હુમલો કર્યો હતો. આ હત્યાકાંડમાંથી બચી ગયા બાદ ફિરોઝ ખાન અને તેમના ભાઈ વેજલપુર રહેવા આવી ગયા હતા.

વેજલપુર ગાંધીનગર લોકસભા બેઠક અંતર્ગત આવે છે અને હાલ તેઓ મહાનગરપાલિકાની ચૂંટણી લડવા માગતા હતા, પરંતુ તેમનું નામ જ મતદારયાદીમાં નથી.

લોકસભાની ચૂંટણી લડનારા ફિરોઝ ખાનનું કહેવું છે કે તેઓ હવે અમદાવાદ મહાનગરપાલિકાના બહેરામપુરા વૉર્ડની પેટાચૂંટણી નહીં લડી શકે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.