આ વષેઁ દુબઈ માં યોજાઈ રહેલ IPL મેચ જોવા જતા દશઁકોને પાળવા પડશે આ નિયમો

વિવો ઇન્ડિયન પ્રીમિયર લીગની (IPL) સીઝન 13 આ વખતે દુબઇના સ્ટેડિયમમાં રમાવવાની છે. કરણ કે કોરોના વાયરસને લઇને ભારતમાં આઇપીએલ 2020નુ આયોજન શક્ય ન બની શક્યુ નહી. હવે આ ટૂર્નામેન્ટ યુનાઇટેડ આરબ એમીરેટ્સ(UAE) માં ખસેડવામાં આવી છે. અહીં એમિરેટ્સ ક્રિકટ બોર્ડ સ્ટેડિયમમાં દર્શકોને જવાની પરવાનીગી આપી શકે છે.

એમિરેટ્સ ક્રિકેટ બોર્ડના સચિવ મુબાશશિર ઉસ્માનીએ શુક્રવારે કહ્યું કે જો સરકાર મંજૂરી આપે છે તો તે UAE માં રમાનારી આઇપીએલમાં સ્ટેડિયમોમાં 30 થી 50 ટકા સુધી દર્શકો ભરવા ઇચ્છશે. ઇન્ડિયન પ્રીમિયર લીગની તારીખોની જાહેરાત કરતાં અધ્યક્ષ વ્રજેશ પટેલે પીટીઆઇને કહ્યું હતુ કે હતુ કે 19 સપ્ટેમ્બરથી 8 નવેમ્બર સુધી યોજાનારી T20 ટૂર્નામેન્ટ દરમિયાન દર્શકોને મેદાન પર જવાની અનુમતી આપવાનો ફેંસલો સંયુક્ત આરબ અમીરાત (યુએઇ) સરકાર દ્વારા લેવામાં આવશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.