કંગના રનૌતે આદિત્ય ઠાકરે પર નિશાનો સાધ્યો, ટ્વીટર પર પૂછ્યા આ 7 સવાલ

સુશાંત સિંહ રાજપૂત કેસમાં આરોપ-પ્રત્યારોપનો સિલસિલો ચાલી રહ્યો છે ત્યારે હાલમાં જ મહારાષ્ટ્ર સરકારના કેબિનેટ મંત્રી આદિત્ય ઠાકરેએ પ્રતિક્રિય આપતા કહ્યું કે આ કેસમાં સડકછાપ પોલિટીક્સ થઇ રહ્યું છે પરંતુ તે ધેર્યની સાથે કામ લઇ રહ્યાં છે. તેમના અને તેમના પરિવાર પર કાદવ ઉછાળવામાં આવી રહ્યો છે. આ કેસમાં કંગના રનૌતે આદિત્ય ઠાકરે પર નિશાનો સાધ્યો છે

કંગનાની ટીમે તેના ટ્વિટર અકાઉન્ટ પર લખ્યુ કે, જુઓ ડર્ટી પોલિટીક્સની વાત કોણ કરી રહ્યું છે, તમારા પિતાને મુખ્યમંત્રીની સીટ કેવી રીતે મળી તે પણ ડર્ટી પોલિટીક્સ કેસ સ્ટડી છે. તમારા પિતાને સુશાંત કેસમાં કેટલાક સવાલ પૂછો પહેલો સવાલ કે રિયા ચક્રવર્તી ક્યાં છે

આ 7 સવાલ કંગનાએ આદિત્ય ઠાકરેને પૂછ્યા:

  1. રિયા ચક્રવર્તી ક્યાં છે?
  2. શા માટે મુંબઇ પોલીસે સુશાંતના અકારણ મૃત્યુની FIR ન લખી?
  3. જ્યારે મુંબઇ પોલીસને સુશાંતની લાઈફ ખતરામાં હોવાની ફરિયાદ મળી હતી, તેમ છતાં શા માટે તેમણે પહેલા દિવસેજ તેને સુસાઇડ જાહેર કર્યું?
  4. શા માટે સુશાંતે છેલ્લા અઠવાડિયામાં કોની કોની સાથે વાત કરી હતી તે શોધી શકે તેવા ફોરેન્સિક એક્સપર્ટ નથી?
  5. IPS વિનય તિવારીને કેમ ક્વોરેન્ટીનના નામ પર રોકી રાખ્યા છે?
  6. CBI થઈ શુકામ ડરો છો?
  7. રિયા અને તેના પરિવારે શા માટે સુશાંતના પૈસા લૂંટયા?

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.