રાજધાની દિલ્હીમાં સ્વતંત્રતા દિવસની તૈયારીઓ શરૂ

– 350 પોલીસ કર્મીઓને ક્વૉરન્ટાઈન​ કરાયા

દેશમાં ફેલાયેલા કોરોના વાયરસની અસર દરેક બાબતમાં જોવા મળી રહી છે. સ્વતંત્રતા દિવસના સમારોહમાં પણ આ માટેની ખાસ તૈયારીઓ કરવામાં આવી રહી છે. કોરોનાના સંક્રમણને ધ્યાનમાં રાખીને આ વર્ષે વડાપ્રધાન મોદીને ગાર્ડ ઓફ ઓનર આપવા માટે તૈયારીના ભાગ રૂપે 350 પોલીસકર્મીઓને ક્વૉરન્ટાઈન કરવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ પગલું લેવાયું છે.દિલ્હી કૈંટમાં હાલમાં નવી પોલીસ કોલોની બની છે. અહીં મોટી સંખ્યામાં જગ્યા ખાલી છે. અનેક પરિવાર અહીં શિફ્ટ થયા નથી. એવામાં આ ખાલી ફ્લેટમાં 350 પોલીસ કર્મીઓને રાખવામાં આવ્યા છે. આ 350 પોલીસ કર્મીઓમાં કોન્સ્ટેબલથી લઈને ડીસીપી સુધીના પોલીસ ઓફિસર સામેલ છે.

આ દરેકને બહારની દુનિયાથી દૂર રાખવામાં આવ્યા છે. રોજ તેમના શરીરનું તાપમાન ચેક કરાય છે અને સાથે જ કોરોનાના તમામ લક્ષણોની પણ તપાસ કરાય છે. મળતી માહિતી અનુસાર એક પોલીસ ઓફિસરે કહ્યું કે આ પગલું 15 ઓગસ્ટના દિવસે ખાસ સુરક્ષાને ધ્યાનમાં રાખીને લેવાયું છે.

અમે તમામ સાવધાની રાખી રહ્યા છીએ. આ દરેક પોલીસ કર્મીઓ છેલ્લા 8 દિવસથી ક્વૉરન્ટાઈન છે. કોમ્પલેક્સની અંદર પણ સોશ્યલ ડિસ્ટન્સિંગને ધ્યાનમાં રાખવામાં આવે છે. અત્યારે કોઈ પણ વ્યક્તિમાં કોરોનાનું લક્ષણ જોવા મળી રહ્યું નથી.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.