મન કી બાતમાં PM મોદીની અપીલ, લોકલ રમકડા માટે બનવાનુ છે વોકલ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના રેડિયો કાર્યક્રમ મન કી બાતના માધ્યમથી રાષ્ટ્રને સંબોધિત કર્યુ. મન કી બાતમાં પીએમ મોદીએ કહ્યુ કે કોરોના કાલમાં નાગરિકોમાં પોતાના દાયિત્વનો અહેસાસ છે. દરેક પ્રકારના ઉત્સવોમાં લોકો સંયમ રાખી રહ્યા છે. દેશમાં થઈ રહેલા દરેક આયોજનમાં જે રીતે સંયમ અને સાદગી આ વખતે જોવા મળી રહી છે, તે અભૂતપૂર્વ છે.

મન કી બાતમાં પીએમ મોદીએ કહ્યુ કે 5 સપ્ટેમ્બરે શિક્ષક દિવસ મનાવીશુ. સમય સાથે શિક્ષકોની સામે પણ પડકાર છે. શિક્ષકોએ પડકારનો સ્વીકાર કર્યો છે. શિક્ષક અને વિદ્યાર્થી મળીને નવુ કરી રહ્યા છે. નવી શિક્ષણ નીતિ દ્વારા આમાં મહત્વની ભૂમિકા નિભાવીશુ. પીએમ મોદીએ કહ્યુ કે ભારતીયોના ઈનોવેશન અને સોલ્યુશન આપવાની ક્ષમતાને લોખંડ દરેક માને છે અને જ્યારે સમર્પણ ભાવ હોય, સંવેદના હોય તો આ શક્તિ અસીમ બની જાય છે. આપણા અહીંના બાળકો, આપણા વિદ્યાર્થીઓ પોતાની સમગ્ર ક્ષમતા બતાવી શક્યા, પોતાનું સામર્થ્ય બતાવી શક્યા, જેમાં ખૂબ મોટી ભૂમિકા પોષણની પણ હોય છે.

વડાપ્રધાન મોદીએ કહ્યુ કે એવામાં મન કી બાત સાંભળી રહેલા બાળકોના માતા-પિતા પાસે હુ માફી માગુ છુ કેમ કે હોઈ શકે છે કે તેમને આ મન કી બાત કાર્યક્રમ સાંભળ્યા બાદ રમકડાની નવી-નવી ડિમાન્ડ સાંભળવાનું કદાચ એવુ નવુ કામ સામે આવી જશે. રમકડા જ્યાં એક્ટિવિટીને વધારનારા હોય છે તો રમકડા આપણી આકાંક્ષાઓને પણ ઉડાન આપે છે. રમકડા માત્ર મન જ સારૂ નથી કરતા, રમકડા મન બનાવે પણ છે અને હેતુ ઘડે પણ છે.

વડાપ્રધાને કહ્યુ કે આપણા દેશમાં લોકલ રમકડાની ઘણી સમૃદ્ધ પરંપરા રહી છે. કેટલાક પ્રતિભાશાળી અને કુશળ કારીગર છે જે સારા રમકડા બનાવવામાં મહારત છે. ભારતના કેટલાક વિસ્તાર ટોય ક્લસ્ટર એટલે કે રમકડાના કેન્દ્ર તરીકે પણ વિકસિત થઈ રહ્યા છે. પીએમે જણાવ્યુ કે ગ્લોબલ ટોય ઈન્ડસ્ટ્રી 7 લાખ કરોડથી પણ વધારે છે. 7 લાખ કરોડ રૂપિયાનો આટલો મોટો વેપાર પરંતુ ભારતનો ભાગ તેમાં ખૂબ ઓછો છે. જે રાષ્ટ્રની પાસે આટલી વિરાસત હોય, પરંપરા હોય, શુ રમકડાના બજારમાં તેમની ભાગીદારી આટલી ઓછી હોવુ જોઈએ.

વડાપ્રધાને મન કી બાતમાં ખેડૂતોની ચર્ચા કરી. તેમણે કહ્યુ કે ઋગ્વેદમાં મંત્ર છે – अन्नानां पतये नमः, क्षेत्राणाम पतये नमः અર્થાત અન્નદાતાને નમન છે. ખેડૂતને નમન છે. ખેડૂતોએ કોરોના જેવા ખરાબ સમયમાં પોતાની તાકાતને સાબિત કરી છે. આપણા દેશમાં આ વખતે ખરીફ પાકની વાવણી ગયા વર્ષની સરખામણીએ 7 ટકા વધારે થઈ છે.

પીએમ મોદીએ કહ્યુ કે આપણે જો નજીકથી જોઈશુ તો એક વાત જરૂર આપણી સામે આવશે આપણા પર્વ અને પર્યાવરણ. આ બંને વચ્ચે એક ગાઢ સંબંધ છે. બિહારના પશ્ચિમી ચંપારણમાં સદીઓથી થારૂ આદિવાસી સમાજના લોકો 60 કલાકના લોકડાઉન, તેમના શબ્દોમાં 60 કલાકના બરનાનું પાલન કરે છે. પ્રકૃતિની રક્ષા માટે બરનાને થારૂ સમાજના લોકોએ પોતાની પરંપરાનો ભાગ બનાવી લીધો છે અને આ સદીઓથી છે.

સામાન્ય રીતે આ સમય ઉત્સવનો છે. ઘણી જગ્યાએ મેળા યોજાય છે. ધાર્મિક પૂજા-પાઠ થાય છે. કોરોનાના આ સંકટ કાળમાં લોકોમાં ઉમંગ અને ઉત્સાહ તો છે જ, મનને સ્પર્શનારૂ અનુશાલન પણ છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.