રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયા 1305 પોઝિટિવ કેસ, 80000થી વધારે સ્વસ્થ થયાં

રાજ્યમાં કોરોનાનો કેર યથાવત્ રહ્યો છે. એક દિવસમાં નોંધાતા સંક્રમિતોનો આંકડો ચિંતાજનક છે. જો કે સ્વસ્થ થનારા દર્દીઓની સંખ્યા રાહત આપનારી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 80 હજારથી વધારે દર્દીઓ કોરોનાને મ્હાત આપી સ્વસ્થ થઈ ચુક્યા છે. રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા છેલ્લા 24 કલાકમાં નોંધાતા પોઝિટિવ કેસના આંકડાઓ જાહેર કરવામાં આવ્યા.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કુલ 1305 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે અને 12 દર્દીઓના મોત થયાં છે. રાજ્યમાં કુલ 3048 દર્દીઓના મોત થયાં છે. તેમજ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1141 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી સ્વસ્થ થયાં છે.

આજે નોંધાયેલા કુલ 1305 કેસમાંથી સુરત કોર્પોરેશન એરિયામાં 176 અને જિલ્લામાં 89 કેસ, અમદાવાદ કોર્પોરેશન એરિયામાં 149 અને જિલ્લામાં 20 કેસ, વડોદરા કોર્પોરેશન એરિયામાં 89 અને જિલ્લામાં 36 કેસ, રાજકોટ કોર્પોરેશન એરિયામાં 89 અને જિલ્લામાં 54 કેસ નોંધાયા છે.

રાજ્યમાં નોંધાયેલા કુલ કેસોમાંથી હાલ 94 લોકો વેન્ટિલેટર પર છે. જ્યારે 15,854 દર્દીઓ સ્ટેબલ છે. અત્યાર સુધીમાં 80,054 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. રાજ્યમાં મૃતકોનો આંકડો 3048 થયો છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.